રિલાયન્સ હોસ્પિટલને ઉડાવી દેવાની અને અંબાણી પરિવારને મોતની ધમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 19:36:34

એક અજાણ્યા વ્યક્તિએ દક્ષિણ મુંબઈમાં આવેલી સર એચએન રિલાયન્સ હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર બુધવારે  ફોન કરીને ધમકી આપી છે. આ વ્યક્તિએ હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સિવાય મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપવાનો મામલો પણ સામે આવ્યો છે. આ ધમકી બાદ હોસ્પિટલ અને અંબાણી પરિવારના ઘર એન્ટિલિયાની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં આ બીજી વખત છે જ્યારે અંબાણી પરિવારને ધમકી મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ 1 વાગે હોસ્પિટલમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં ધમકી આપવામાં આવી છે.


પોલીસે આરોપીને પકડવાના પ્રયાસો કર્યા તેજ


ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નીલોત્પલે જણાવ્યું  કે ફોન કરનારે અંબાણી પરિવારના કેટલાક લોકોને નામ લઈને ધમકી પણ આપી હતી. આ અંગે ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓને શોધવાના પ્રયાસો ચાલુ છે. હાલ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીએ કયા નંબર પરથી ફોન કરીને તેની ઓળખ શું છે. આ માહિતી મળ્યા બાદ આરોપીને પકડવાના પ્રયાસો તેજ કરવામાં આવશે.


અંબાણી પરીવારને અગાઉ પણ ધમકી મળી ચુકી છે


આ વર્ષે ઓગસ્ટમાં જ એક 56 વર્ષીય જ્વેલરની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર મુકેશ અંબાણીના પરિવારને ધમકી આપવાનો પણ આરોપ હતો. તેણે મુકેશ અંબાણીને મારી નાખવાની પણ ધમકી આપી હતી. આરોપીની ઓળખ વિષ્ણુ વિધુ ભૌમિક તરીકે થઈ હતી. તેણે 9 વખત હોસ્પિટલમાં ફોન કરીને ધમકી આપી હતી. તેમાંથી એક કોલમાં તેણે કહ્યું કે તેનું નામ અફઝલ ગુરુ છે અને તે આગામી ત્રણ કલાકમાં કંઈ પણ કરી શકે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.