અમિતાભની પૌત્રી અને પુત્રવધૂ ઐશ્વર્યા પર રેખાએ વરસાવ્યો પ્રેમ, તસવીરો વાયરલ થઈ


  • Published By :
  • Published Date : 2023-04-02 21:15:52

મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ હોલીવુડના પણ ઘણા સ્ટાર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાન, સલમાન ખાન, દિશા પટની, રેખા, શ્રદ્ધા કપૂર, રણવીર સિંહ, ગૌરી ખાન, સુહાના, કાજોલ, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, રશ્મિકા મંદન્ના અને વરુણ ધવન સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાંથી રેખા અને આરાધ્યાનો એક અનસીન ફોટો પણ સામે આવ્યો છે. જે નિહાળીને ચાહકો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.


મનીષ મલ્હોત્રાએ ફોટો શેઅર કર્યો


રેખા અને અમિતાભ બચ્ચનનો પરિવાર સામસામે આવે તેવા પ્રસંગો બહુ ઓછા બને છે. આજે પણ બોલિવૂડના સૌથી મોટા પ્રણય ત્રિકોણની વાત આવે ત્યારે અમિતાભ બચ્ચન, રેખા અને જયા બચ્ચનનું નામ લેવામાં આવે છે. કહેવાય છે કે આજે પણ આ ત્રણેય એકબીજા સાથે વાત પણ નથી કરતા. પરંતુ રેખાએ આરાધ્યા અને ઐશ્વર્યા સાથે વાતચીત કરી છે. આ લેટેસ્ટ તસ્વીરોમાં પ્રતિબિંબિત થાય છે. આ તસવીરો ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ શેઅર કરી છે.


રેખાએ આરાધ્યા પર વરસાવ્યો પ્રેમ


આ તસવીરોમાં રેખા આરાધ્યાને ગળે લગાડતી જોવા મળે છે અને બીજી તસવીરમાં તે ઐશ્વર્યા પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે. ચારેય સ્ટાર્સ એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. તે જ સમયે, રેખા નીસાને ગળે લગાડતી હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે અજય દેવગન અને કાજોલની પુત્રી પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે