કાયમી ભરતીને લઈ Gujarat Congressએ Social Media પર કરી ટ્વિટ, લખ્યું આટલી જગ્યાઓ ખાલી છતાં ભરતી કેમ નહીં?


  • Published By :
  • Published Date : 2024-02-12 11:51:08

બાળકો ભણે તે માટે અનેક અભિયાનો ચાલી રહ્યા છે. ગુજરાતને વિકસીત રાજ્ય માનવામાં આવે છે પરંતુ શિક્ષણનું સ્તર પ્રતિદિન ઘટી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ થઈ રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે કે ગુજરાત સરકાર કાયમી ભરતી કરો... આટલી જગ્યાઓ ખાલી છતાં ભરતી કેમ નહીં? વિદ્યાર્થી વિરોધી ભાજપ સરકાર... અનેક એવી સરકારી નોકરી છે જ્યાં જગ્યા ખાલી હોવા છતાંય કાયમી ભરતી નથી કરવામાં આવતી!

ગુજરાતની શાળાઓમાં છે શિક્ષકોની ઘટ! 

બાળક ભણીને આગળ વધે છે ત્યારે દેશની પ્રગતિ થાય છે. અનેક જગ્યાઓ પર વિદ્યાર્થીઓ હોય છે પરંતુ શાળામાં શિક્ષકો નથી હોતા. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત અનેક વખત ઉઠી છે. શાળામાં શિક્ષકો નથી હોતા જેને કારણે બાળકના ભણતર પર અસર પડે છે. ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. 


ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ટ્વિટ

ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે આપણે જાણીએ છીએ. અનેક જગ્યાઓ ખાલી છે પરંતુ શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે ગુજરાત સરકાર કાયમી ભરતી કરો... આટલી જગ્યાઓ ખાલી છતાં ભરતી કેમ નહીં? વિદ્યાર્થી વિરોધી ભાજપ સરકાર...  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.