Loksabha Election પહેલા BJPમાં શરૂ થશે ભરતી મેળો! Bharat Boghraની અધ્યક્ષતામાં બનેલી ટીમ કહેશે કોને ભાજપમાં જોડવા?


  • Published By :
  • Published Date : 2024-01-04 14:05:59

લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી ઓપરેશન લોટસ પર પૂરેપૂરી તૈયારીઓ કરી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનું વ્યાપ વધે તે માટે આયોજનો કરવામાં આવી રહ્યા છે. સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે જેની જવાબદારી ભાજપે ઉપાધ્યક્ષ ભરત બોઘરાને સોંપી છે. ભરત બોધરાની અધ્યક્ષતામાં એક કમિટી રચવામાં આવી છે એટલે ફરી ભરત બોઘરા નવા વરરાજા લાવશે જે રાજીનામું આપશે અને તે એના અનવર બનશે. બીજી પાર્ટીના નેતાઓને ભાજપમાં લાવવામાં આવશે અને ભાજપમાં ભરતીમેળો થશે...! 

ભરત બોઘરાની અધ્યક્ષતામાં રચાઈ કમિટી

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. સામ, દામ,દંડ ભેદનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા અપનાવામાં આવશે. ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનો વ્યાપ વધારવા માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય પક્ષના નારાજ નેતાઓને પક્ષમાં જોડવા માટે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની અધ્યક્ષતામાં એક કમિટી રચાઈ છે જેની જવાબદારી હશે બીજી પાર્ટીના નારાજ નેતાઓને ભાજપમાં જોડવાની. આ કમિટીમાં નાયબ દંડક જગદીશ મકવાણા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા, વડોદરા જિલ્લા પ્રભારી રાજેશ પાઠક અને ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Will BJP do a Gujarat in MP ahead of 2023 polls?

 ભાજપમાં શરૂ થશે ભરતી મેળો!

આ કમિટી અન્ય પક્ષના કયા નારાજ નેતાને ભાજપમાં સામેલ કરવા તે અંગેનો રિપોર્ટ સોંપશે. તે અંગેના અભિપ્રાયો આપશે. આ કમિટીનો હેતુ રહેશે કે પ્રદેશ અને જિલ્લા, મહાનગર સ્તર પર સરપંચ પદ પરથી ચૂંટણી લડેલા અન્ય પાર્ટીઓના કે અપક્ષ ઉમેદવારો, સમાજના અને વિવિધ ક્ષેત્રના આગેવાનોના નામોની યાદી તૈયાર કરીને મોટી સંખ્યામાં પક્ષમાં જોડવાનો. મહત્વનું છે કે ડિસેમ્બરમાં એક જ અઠવાડિયામાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ખંભાતના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. આ ધારાસભ્યો જ્યારે રાજીનામું આપવા ગયા ત્યારે એક ચહેરો કોમન હતો. અને તે હતા ભરત બોઘરા. ત્યારે હવે એ જ ભરત બોઘરાને આ કમિટીનું સુકાન સોંપવામાં આવ્યું છે. એટલે હવે જલ્દી જ રાજીનામાનું જે નાટક હતું, જેના પર વિરામ મુકાયો હતો એ હવે ફરી શરૂ થઈ શકે છે. 

Image

આઠ સિનિયર નેતાઓને સોંપવામાં આવી જવાબદારી 

લોકસભાની ચૂંટણી માટે ભાજપ અત્યારથી તડામાર તૈયારીઓ કરી રહ્યું છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઠ દિગ્ગજ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને 3 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.  પ્રદિપસિંહને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય અમિત ઠાકરને બનાસકાંઠા, કચ્છ, પાટણ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!