ચૂંટણી પહેલા ભાજપમાં શરૂ થયો ભરતી મેળો! કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાએ કેસરિયો કર્યો ધારણ


  • Published By :
  • Published Date : 2023-09-16 18:37:38

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા દરેક પાર્ટીમાં ભરતીની મોસમ આવતી હોય તેવું લાગે છે. અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. પોતાનો પક્ષ છોડી બીજા પક્ષમાં જોડાઈ જતા હોય છે જેને લઈ રાજકારણ ગરમાતું હોય છે. ત્યારે નર્મદા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. પોતાના 150 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાએ કેસરિયો ધારણ કરી લીધો છે. સી.આર.પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. સુરતના અંબાનગર સ્થિર ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઓફિસે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

પોતાના સમર્થકો સાથે હરેશ વસાવાએ ધારણ કર્યો કેસરિયો 

ગુજરાત કોંગ્રેસને ચૂંટણી પહેલા મોટો ઝટકો મળ્યો છે. નર્મદા જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા હરેશ વસાવાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો સાથ અપનાવ્યો છે. પોતાના 150 જેટલા સમર્થકો સાથે તેમણે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કેસરિયો ધારણ કર્યો છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પહેલા દરેક પાર્ટીના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. રાજકીય પક્ષોમાં ભરતી મેળો ચાલે ચૂંટણીની સિઝન દરમિયાન ચાલતો હોય છે. થોડા સમય પહેલા વડોદરામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા હતા જેને કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો ત્યારે આજે હરેશ વસાવાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. 


ભાજપના કામોને જોઈ હરેશ વસાવાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો! 

મહત્વનું છે કે એક સમયે જે પાર્ટી વિરૂદ્ધ નેતાઓ નિવેદનો આપતા હોય છે તે પક્ષ તેમને અચાનક સારો લાગવા લાગે છે. અનેક નેતાઓના નિવેદનો આવા પ્રકારના હોય છે. કેસરિયો ધારણ કર્યા બાદ હરેશ વસાવાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની વિકાસલક્ષી કાર્યક્ષેલીના કારણે છેવાડા ગામ સુધી વિકાસ થઈ રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસયાત્રાને છેવાડાના ગામ સુધી લઈ જવામાં આવી છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો અંતે નિર્ણય કર્યો છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.