BJPમાં ભરતી મેળો! Congressમાંથી 2019માં લોકસભા ચૂંટણી લડનાર બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં જોડાયા. પાર્ટીમાં જોડાતા કહી આ વાત


  • Published By :
  • Published Date : 2024-04-03 19:01:21

ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. ગુજરાત હોય કે અન્ય રાજ્ય ભાજપમાં મોટી હસ્તીઓ, કોંગ્રેસના નેતાઓ જોડાઈ રહ્યા છે. ત્યારે આજે હરિયાણાના પ્રખ્યાત બોક્સર વિજેન્દર સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેમણે બીજેપી નેતા વિનોદ તાવડે, રામવીર સિંહ બિધુરી અને રાજીવ બબ્બરની હાજરીમાં નવી દિલ્હી BJPના હેડ ક્વાર્ટર  પર કેસરિયો ધારણ કરી લીધો છે. 2019માં તેઓ રાજકારણમાં જોડાયા હતા. કોંગ્રેસની ટિકીટ પર તેઓ લોકસભા ચૂંટણી લડ્યા હતા.

 

બીજેપી જોઈન કરતા કહ્યું કે.... 

કોંગ્રેસ છોડી બોક્સર વિજેન્દર સિંહ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. આજે દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય પણ તેઓ પહોંચ્યા હતા અને સત્તાવાર રીતે કેસરિયો ધારણ કરી લીધો હતો. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ તેમણે કોંગ્રેસના ફેવરમાં ટ્વિટ કરી હતી. બે એપ્રિલે તેમણે રાહુલ ગાંધની ટ્વિટને રિ-ટ્વિટ કરી હતી. બોક્સરે  BJP જોઈન કરતા જ કહ્યું હતું કે -  મેં BJPને દેશહિત માટે અને રાષ્ટ્રના લોકોની સેવા કરવા જોઈન કરી છે.

વિજેન્દરસિંહે કેસરિયો ધારણ કર્યો 

જો વિજેન્દરસિંહની વાત કરીએ તો 2019માં સાઉથ દિલ્હી લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીના mandate પરથી લોકસભાનું ઇલેકશન લડ્યા હતા . પરંતુ તે ચૂંટણી હારી ગયા હતા. તેમની હાર BJPના રમેશ બિધુરીની સામે થઈ હતી. સૂત્રો દ્વારા હાલમાં માહિતી મળી રહી છે કે , કોંગ્રેસ પાર્ટી તેમને મથુરા લોકસભા પરથી હેમા માલિનીની સામે લડાવવા માંગતી હતી પણ હવે તેઓએ કોંગ્રેસ છોડી BJPનો કેસરિયો ધારણ કરી લીધો છે. તેઓ જાટ સમાજમાંથી આવે છે. આ જાટ સમાજ હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમા જોવા મળે છે. અને હરિયાણા રાજ્યમાંતો તે ડૉમિનન્ટ કાસ્ટ એટલેકે તેમની વસ્તી આશરે ૩૦ ટકા જેટલી છે . 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે...  

જોકે માર્ચની 30 તારીખે તો તેમણે પ્લેટફોર્મ x લખી દીધું હતું કે જનતા જ્યાંથી ઇચ્છશે ત્યાંથી અમે તૈયાર છીએ , અને કિસાન શુભકર્ણંસિંહ અમર રહે ની ટવિટ પણ કરી હતી. વિજેન્દરસિંહ તો ગયા વર્ષે હરિયાણાના કર્નાલ ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ જોડાયા હતા . વાત કરીએ તેમની ખેલ કુદ્દની કારકિર્દીની તો તો તે પહેલા એવા ભારતીય બોક્સર છે કે જેમણે 2008ના બેઈજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 2010માં તો વિજેન્દરસિંઘને રાષ્ટ્રપતિ દ્વારા પ્રદ્મશ્રી પણ અપાયો હતો. 



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.