ટેલીકોમ કંપનીને રિચાર્જ પેકની વેલિડિટી 30 દિવસ સુધી કરવા TRAIએ સુચના આપી છે. 60 દિવસની અંદર આર્ડરનું પાલન કરવા આદેશ આપ્યો છે.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 15:15:11

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(TRAI)એ ટેલિકોમ કંપનીને કડક નિર્દેશ આપ્યો છે. ટેલિકોમ કંપનીઓને રિચાર્જ પ્લાન 28 દિવસને બદલે 30 દિવસ માટે કરવાની સુચના આપી છે. જેને કારણે પ્રીપેડ મોબાઈલ ગ્રાહકોને ફાયદો થશે. સાત મહિના પહેલા જ ટ્રાઈએ ટેલિકોમ કંપનીને પોતાના પ્લાનમાં ફેરફાર કરવાનું કહ્યું હતું, પરંતુ તેનું પાલન ન થતા 60 દિવસની અંદર અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે.

TRAI Full Form - javatpoint

30 દિવસ માટે રહેશે પેક વેલિડિટી

ટેલિકોમ કંપનીઓના હાલના પ્લાનની વેલિડિટી માત્ર 28 દિવસ છે જેને બદલી 30 દિવસ કરવાનું નોટિફિશેન બહાર પાડ્યું હતું. પ્લાનની વેલિડિટી 28 દિવસ હોવાથી ગ્રાહકે 13 વાર રિચાર્જ કરાવું પડે છે. જેને કારણે આર્થિક ભારણ વધે છે. આ અંગે ગ્રાહકો સતત ફરિયાદ કરી રહ્યા હતા. ટ્રાઈએ એપ્રિલ મહિનામાં જ વેલિડીટિ વધારવા સૂચના આપી દીધી હતી. પરંતુ સૂચનાનું અમલ ન થતા ટ્રાઈએ કડક વલણ અપનાવ્યું છે.

શા માટે હોય છે 28 દિવસની વેલિડિટી

દરેક ટેલીકોમ કંપની પોતાની રિચાર્જની વેલિડીટી 28 દિવસ રાખે છે. કારણકે કોઈ મહિનામાં 30 દિવસ હોય છે તો કોઈ મહિનામાં 31 દિવસ હોય છે. તો ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય છે. મહિનામાં દિવસોની ગણતરીમાં ભૂલ ન થાય તે માટે રિચાર્જ પ્લાન 28 દિવસનો રાખવામાં આવે છે.   



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.