દેશના 66% CEO માને છે કે આગામી 12 મહિના સુધી આર્થિક મંદીનો સામનો કરવો પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 20:46:33

વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની શરૂઆત થઈ ગઈ છે. તાજેતરના થયેલા સર્વેમાં, ભારતના 66% CEOએ કહ્યું છે કે તેઓ આગામી 12 મહિનામાં આર્થિક મંદી જોઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે, 86% CEO કહે છે કે તેઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ માહિતી સામે આવી છે. ભારતમાં, 58% ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સનું માનવું છે કે આગામી 12 મહિનામાં વૈશ્વિક અર્થતંત્રમાં મંદી જોવા મળી શકે છે, જેની અસર તુલનાત્મક રીતે ઓછી પડશે.


વસ્તીની આંતરિક વપરાશ મોટો સહારો


ભારતના 82% થી વધુ સીઈઓને વિશ્વાસ છે કે ટૂંકા ગાળામાં વૈશ્વિક અર્થતંત્રમાં મંદી આવવાથી તેમના પર વધુ ગંભીર અસર પડશે નહીં. તેઓને લાગે છે કે લાંબા ગાળે ભારતનો ગ્રોથ આઉટલુક વધુ સારો છે. દેશની વિશાળ વસ્તીની આંતરિક વપરાશ સારી હોવાથી મંદીને પહોંચી વળવામાં તેમને મદદ મળશે.


 મંદીની અસર ટૂંકા ગાળા માટે થશે


ભારતમાં સીઈઓ કંપનીના ગ્રોથની સંભાવનામાં ઘટાડો જોઈ રહ્યા છે. આ સાથે જ તેઓ દેશના જીડીપીમાં ઘટાડો થવાની પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે. તેમને લાગે છે કે ટૂંકા ગાળા માટે વૈશ્વિક મંદીની અસર ભારતના અર્થતંત્ર પર પણ જોવા મળી શકે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.