વૈશ્વિક મંદીથી IT સેક્ટરને ફટકો, દુનિયાની આ જાયન્ટ ટેક કંપનીઓએ કરી છટણીની જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-08 15:00:59


દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે, વિશ્વની અગ્રણી અને જાયન્ટ ટેક કંપનીઓેની આવક ઘટતા નવી ભરતી અટકાવી દીધી છે. તે ઉપરાંત કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે છટણીની પણ જાહેરાત કરી છે. હાલ આઈટી સેક્ટર વૈશ્વિક મંદીનો સૌથી વધુ ભોગ બન્યું છે.


આ કંપનીઓએ કરી છટણીની જાહેરાત


વૈશ્વિક સ્તરે મોટી કંપનીઓ એમેઝોન, ગુગલ, ફેસબુક, ટ્વિટર, એપલ, જેવી કંપનીઓ આ છટણીની જાહેરાત કરી છે. ભારતમાં પણ આઈટી કંપનીઓએ કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. ભારતની અનએકેડેમી, બાયજૂ જેવા સ્ટાર્ટઅપે પણ કર્મચારીઓની સંખ્યા ઘટાડી છે.  


ટેક કંપનીઓને શા માટે ફટકો?


વિશ્વભરમાં મંદીનો માહોલ હોવાથી આઈ ટી સેક્ટરની આવક ઘટી છે. તીવ્ર સ્પર્ધાના કારણે વિજ્ઞાપનોની આવક ઘટી છે. તે ઉપરાંત નવા ઓર્ડર પણ મળવાના બંધ થયા છે. અમેરિકાની ફેડ રિઝર્વએ વ્યાજ દર વધારતા ટેક કંપનીઓ પર વ્યાજ બોજો વધ્યો છે, હવે આ જ સ્થિતી યુરોપની આઈ ટી કંપનીઓ સાથે જ પણ જોવા મળી રહી છે. ભારતની આઈ ટી કંપનીઓને અમેરિકા અને યુરોપના દેશોમાંથી આઉટ સોર્સિંગનું કામ મળવાનું ઓછું થયું છે. યુરોપ અને અમેરિકામાં હાલ તીવ્ર મંદી છે. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.