વૈશ્વિક મંદીથી IT સેક્ટરને ફટકો, દુનિયાની આ જાયન્ટ ટેક કંપનીઓએ કરી છટણીની જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-08 15:00:59


દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે, વિશ્વની અગ્રણી અને જાયન્ટ ટેક કંપનીઓેની આવક ઘટતા નવી ભરતી અટકાવી દીધી છે. તે ઉપરાંત કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે છટણીની પણ જાહેરાત કરી છે. હાલ આઈટી સેક્ટર વૈશ્વિક મંદીનો સૌથી વધુ ભોગ બન્યું છે.


આ કંપનીઓએ કરી છટણીની જાહેરાત


વૈશ્વિક સ્તરે મોટી કંપનીઓ એમેઝોન, ગુગલ, ફેસબુક, ટ્વિટર, એપલ, જેવી કંપનીઓ આ છટણીની જાહેરાત કરી છે. ભારતમાં પણ આઈટી કંપનીઓએ કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. ભારતની અનએકેડેમી, બાયજૂ જેવા સ્ટાર્ટઅપે પણ કર્મચારીઓની સંખ્યા ઘટાડી છે.  


ટેક કંપનીઓને શા માટે ફટકો?


વિશ્વભરમાં મંદીનો માહોલ હોવાથી આઈ ટી સેક્ટરની આવક ઘટી છે. તીવ્ર સ્પર્ધાના કારણે વિજ્ઞાપનોની આવક ઘટી છે. તે ઉપરાંત નવા ઓર્ડર પણ મળવાના બંધ થયા છે. અમેરિકાની ફેડ રિઝર્વએ વ્યાજ દર વધારતા ટેક કંપનીઓ પર વ્યાજ બોજો વધ્યો છે, હવે આ જ સ્થિતી યુરોપની આઈ ટી કંપનીઓ સાથે જ પણ જોવા મળી રહી છે. ભારતની આઈ ટી કંપનીઓને અમેરિકા અને યુરોપના દેશોમાંથી આઉટ સોર્સિંગનું કામ મળવાનું ઓછું થયું છે. યુરોપ અને અમેરિકામાં હાલ તીવ્ર મંદી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.