પાણીપૂરી ખાતા પહેલા વાંચી લેજો આ સમાચાર, વડોદરામાં આટલા દિવસ સુધી પાણીપૂરીના વેચાણ પર લાગ્યો પ્રતિબંધ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-18 15:52:28

જ્યારે કોઈ મહિલા શાકભાજી લેવા જતી હોય છે ત્યારે પાણીપૂરી ખાઈને આવતી હોય છે. પાણીપૂરીની દુકાન પણ એવી જગ્યાઓ પર હોતી હોય છે જ્યાં મહિલાઓની અવરજવર વધારે હોતી હોય છે. ત્યારે વડોદરામાં પાણીપૂરી વેચવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મનપા દ્વારા આવો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. ગઈકાલે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે સડેલા બટેકાનો જથ્થો મળી આવ્યો હતો.     


આગામી 10 દિવસ સુધી નહીં થાય પાણીપૂરીનું વેચાણ

વડોદરા મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે જે હકીકત સામે આવી હતી તે ચોંકાવનારી હતી. વિવિધ વિસ્તારોમાં વેચવામાં આવતા પાણીપૂરીના સ્ટોલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પુરી, ચણા, બટેટા, પાણીપુરીનું પાણી, ચટણી, બટાકાનો માવો વગેરેના ક્વોલિટીની ચકાસણી કરવામાં આવી હતી અને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય માટે હાનિકારક હોવાને કારણે રોગચાળો વધી રહ્યો છે. ત્યારે વડોદરા મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 10 દિવસ સુધી પાણીપૂરીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.   


ગઈકાલે આરોગ્યવિભાગે પાડ્યા હતા દરોડા

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આ સિઝન દરમિયાન પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે. અનેક લોકો બિમારીનો શિકાર બનતા હોય છે. સમયાંતરે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દુકાનો પર તેમજ સ્ટોલ પર દરોડા પાડવામાં આવતા હોય છે કેવા ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ગઈકાલે વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા પાણીપૂરી વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ મળી આવી હતી. ચેકિંગ દરમિયાન પુરી, ચણા, બટેટા, પાણીપુરીનું પાણી, ચટણી, બટાકાનો માવો વગેરેનું ચેકિંગ હાથ ધરી અખાદ્ય ચણા-બટેટા અને પાણીનો નાશ કરવામાં આવ્યો હતો.  


દરોડા બાદ આરોગ્ય વિભાગ દ્વારા લેવાયો નિર્ણય   

આરોગ્ય વર્ધક વસ્તુઓ ન હોવાને કારણે તેમજ રોગચાળો વધતો હોવાને કારણે આગામી 10 દિવસ સુધી પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મનપા આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે કરવામાં આવેલા દરોડા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.