Dry fruit ખાતા પહેલા વાંચી લો આ સમાચાર, Jamnagarમાં ખજૂરમાંથી નીકળી જીવાત, ફૂડ વિભાગે હાથ ધરી તપાસ


  • Published By :
  • Published Date : 2023-11-08 11:38:44

દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે. નાસ્તાઓ, મીઠાઈઓ તેમજ ડ્રાયફૂટ લોકો બહારથી લાવતા હોય છે. પરરંતુ બહારની વસ્તુઓ આજકાલ કેવી નિકળે છે તે આપણે જાણીએ છીએ. નકલી વસ્તુઓ લોકોને પધરાવી દેવામાં આવે છે. નકલી ઘી, નકલી મસાલો સહિત અનેક ખાદ્યપદાર્થો એવા હોય છે જે નકલી પકડાઈ રહ્યા છે. અનેક વખત એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જેમાં ખાવામાંથી વંદો અથવા તો જીવાત નીકળે છે. ત્યારે અમદાવાદમાં અને જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ડ્રાયફૂટમાંથી જીવતી જીવાત નીકળી છે. મળતી માહિતી અનુસાર પટેલ કોલોનીમાં આવેલા બોમ્બે નમકીન દુકાનમાંથી ઈયળ નીકળી છે. ગ્રાહકે ખરીદેલી ખજૂરમાંથી ઈયળ નીકળી છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ તઈ રહ્યો છે. આ માહિતી સામે આવતા આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. એવી માહિતી સામે આવી છે કે જ્યારે આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી ત્યારે પેકેટમાંથી કોઈ જીવાત નીકળી ન હતી જેને કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવી માહિતી ફૂડ ઈન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવી છે.     


ડ્રાયફૂટમાંથી નિકળી જીવાત!

આપણામાંથી અનેક લોકો એવા હશે જે અવાર-નવાર બહારનું ખાતા હશે. કોઈ વખત પિઝા તો કોઈ વખત બર્ગર, આઈસ્ક્રીમ અથવા તો પાણીપુરી ખાવાનો શોખ આપણામાંથી અનેક લોકોને હશે. સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે આ બધી વસ્તુ આપણા શરીર માટે નુકસાનકારક છે. ત્યારે આપણે એ વાત નથી માનતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નિકળી રહી છે. થોડા સમય પહેલા જામનગરમાં યુએસ પિઝાના પિઝામાંથી વંદો નિકળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હવે ડ્રાયફૂટમાંથી જીવાત નીકળી રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં સાઉથ બોપલ સ્થિત શાલિગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલી માધવ ડ્રાયફ્રૂટ દુકાનમાંથી મનીષા પટેલ નામની મહિલાએ કાજુ લીધા હતા. જે બાદ ઘરે જઈને પેકેટ ખોલતા તેમાંથી ઈયળ નીકળી હતી. 


ખજૂરમાંથી નીકળી ઈયળ!

તહેવારના દિવસો નજીક આવી રહ્યા છે. નાસ્તાઓ તેમજ મીઠાઈ લોકો બહારથી ખરીદતા હોય છે. અનેક લોકો તહેવારને ધ્યાનમાં રાખી ડ્રાયફૂટ પણ ખરીદતા હોય છે. હજી સુધી સમાચાર મળતા હતા કે પિઝા અથવા તો ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળે છે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ડ્રાયફૂટમાંથી જીવાત નીકળી રહ્યા છે. જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ખજૂરમાંથી ઈયળ નીકળી છે. તેવો જ કિસ્સો અમદાવાદમાં પણ બન્યો હોય તેવી માહિતી સામે આવી છે. સઉથ બોપલ ખાતે આવેલા માઘવ ડ્રાયફૂટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાઉથ બોપલના શાલિગ્રામ શોપિંગ સેન્ટરની ઘટના છે.   


ચેકિંગના નામે થઈ રહ્યું છે નાટક!

મહત્વનું છે કે એક તરફ ફૂડ વિભાગ દ્વારા દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ફૂડના સેમ્પલ લઈને સંતોષ માનવામાં આવતો હોય તેવું લાગે છે. બજારમાં શુદ્ધ અને સારો ખોરાક મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ એવું માનવું છે કે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવતું ચેકિંગના નામનું નાટક અને ખોરાકમાંથી જીવાત નિકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યું છે.         



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!