Parshottam Rupalaના નિવેદન બાદ સામે આવી ક્ષત્રિય સંકલન સમિતીની પ્રતિક્રિયા, સાંભળો શું કહ્યું તેમના નિવેદન પર?


  • Published By :
  • Published Date : 2024-05-08 17:22:45

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકો રોષે ભરાયા હતા. આ બધા વચ્ચે લોકસભા ચૂંટણીનું મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું. ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે ,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'

ઈલેક્શન બાદ પરષોત્તમ રૂપાલાએ ફરી માગી માફી

લોકસભા ચૂંટણી રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા સૌથી વધારે થઈ.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે.. ક્ષત્રિય સમાજની માગ હતી કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે.. વિરોધના વંટોળ વચ્ચે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું અને ગઈકાલે લોકસભા ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ.. ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક વખત આ વિવાદને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. સી,આર.પાટીલે પણ ક્ષત્રિય સમાજની માફી માગી અને પરષોત્તમ રૂપાલાએ પણ અનેક વખત માફી માગી. લોકસભા ચૂંટણી પૂર્ણ થાય બાદ આજે ફરી એક વખત પરષોત્તમ રૂપાલાએ માફી માગી છે. જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીનો ઉલ્લેખ કર્યો હતો. 


નિવેદન બાદ ક્ષત્રિય સમાજની સામે આવી પ્રતિક્રિયા 

પરષોત્તમ રૂપાલાની માફી બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ મીડિયા સાથે વાત કરી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે. તેમણે માંગેલી આ પહેલાની માફી રાજકીય જ હતી તે તેમના આજના નિવેદન પરથી જાણી શકાય છે. ત્યારે જોવું રહ્યું કે આ મામલે આગળ શું થાય છે? 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.