RBI લોન્ચ કરશે ડિજિટલ કરન્સી, ચુકવણીની પદ્ધતિમાં એક નવા વિકલ્પનો થશે ઉમેરો


  • Published By :
  • Published Date : 2022-12-01 09:31:03

ભારતીય રિઝવ બેંક ઓફ ઈન્ડિયાએ 8 શહેરોમાં ડિજિટલ કરન્સીનો પ્રારંભ કરી દીધો છે. આરબીઆઈએ આ યોજનાને પાઈલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત આ સિસ્ટમ લાગુ કરવાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે. ડિજિટલ કરન્સી એવી રીતે જ કામ કરશે જેમ કરન્સી નોટ કામ કરે છે. ચુકવણી પદ્ધતિમાં એક નવો ઉમેરો થઈ ગયો છે. ઈ-રૂપીએ ડિજિટલ ટોકન તરીકે કામ કરશે. 

PM Modi launches 2 RBI schemes. All about the central bank initiatives -  Hindustan Times

ઓનલાઈન પેમેન્ટની મળશે સુવિધા 

આ પાયલટ પ્રોજેક્ટ હાલ દિલ્હી, મુંબઈ, બેંગલુર અને ભુવનેશ્વરમાં શરૂ કરવામાં આવ્યો છે જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, યસ બેંક તેમજ આઈડીએફસી બેંકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેમેન્ટ સિસ્ટમ લાગુ થવાથી ગ્રાહકો વ્યવહાર માટે તેમજ કોઈ પણ ખરીદી માટે આનો ઉપયોગ કરી શકે છે. ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ માટે પણ આ માધ્યમનો ઉપયોગ થઈ શકશે. આ કરન્સીને રાખવા બેંક ડિજિટલ વોલેટ પણ આપવામાં આવશે. 

હાલ ચાર શહેરોમાં શરૂ કરાશે સુવિધા  

શરૂઆતના સમયમાં માત્ર ચાર શહેરોમાં અને અમુક બેંકોમાં આ જ સિસ્ટમ લોન્ચ કરવામાં આવશે પરંતુ થોડા સમય બાદ વધુ નવ શહેરો અને વધુ બેંકોમાં આને લોન્ચ કરવામાં આવશે. જેમાં અમદાવાદ, ગુવાહાટી, ઈન્દોર, ગંગટોક, હૈદરાબાદ, કોચી, પટના, લખનઉ અને શિમલામાં લાગુ કરાશે. ઉપરાંત બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, HDFC બેંક તેમજ કોટક મહેન્દ્રા બેંકમાં આ સુવિધા મળશે. આ કરન્સીને અન્ય પ્રકારના ચલણમાં રૂપાતરિત કરી શકાય છે પરંતુ આની પર કોઈ વ્યાજ નહીં મળે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.