RBIએ રેપો રેટને લઈ આપી અપડેટ, જાણો લોનધારકોને આ નિર્ણયથી ફાયદો થશે કે નહીં?


  • Published By :
  • Published Date : 2023-12-08 11:02:37

રેપો રેટને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરબીઆઈએ રેપો રેટ તેમજ અન્ય નીતિ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા મતલબ કે જે રેપો રેટ અત્યારે છે તે યથાવત રાખવામાં આવ્યા છે. આ અંગેની જાહેરાત ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. કમિટીએ ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ હાલમાં 6.5 ટકા છે. 

રેપો રેટમાં નથી કરાયો ફેરફાર 

રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાને કારણે લોનની ઈએમઆઈ પર કોઈ રાહત મળશે નહીં. કોઈ વધારો પણ નથી કરવામાં આવ્યો અને રાહત પણ નથી આપવામાં આવી. આરબીઆઈએ રેપો રેટને સ્થિર રાખ્યા છે. મહત્વનું છે કે આ સતત ચોથી વખત એવું બન્યું છે કે રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. મોનેટરી પોલિસી રિવ્યુની મીટિંગ મળી હતી જે ત્રણ દિવસ સુધી ચાલી હતી RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કમિટીએ ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ હાલમાં 6.5 ટકા છે.



રેપો રેટની અસર પડે છે ઈએમઆઈ પર! 

રેપો રેટની વાત કરીએ તો આ એ દર છે જેના પર રિઝર્વ બેન્ક અન્ય બેંકોને લોન આપે છે. રિઝર્વ બેંક દ્વારા જે નાણા બેંકોને આપવામાં આવે છે તે પૈસા બેંક તેમના ધારકોને આપે છે. જ્યારે રેપો રેટમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવે છે ત્યારે તેની સીધી અસર ઈએમઆઈ પર પડે છે. રેપો રેટમાં વધારો થાય છે તો લોનના ઈએમઆઈ પણ વધે છે. ત્યારે આ વખતે ફરી એક વખત રેપો રેટમાં ફેરફાર નથી કરવામાં આવ્યું. રેપો રેટ યથાવત રહેતા ઈએમઆઈ પર હમણાં કોઈ અસર નહીં પડે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.