2000ની ચલણી નોટ પાછી ખેંચવાનો RBIનો નિર્ણય જ્વેલર્સને ફળ્યો, સોના, ચાંદી અને હીરાનું વેચાણ વધ્યું


  • Published By :
  • Published Date : 2023-05-21 19:19:00

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશમાં રૂપિયા 2,000ની ચલણી નોટોને પાછી ખેંચવાના નિર્ણય બાદ દેશભરમાં જ્વેલર્સ પાસે સોના, ચાંદી અને હીરાનું ડિમાન્ડમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે સોના-ચાંદીની ખરીદીમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. દેશના તમામ મોટા શહેરોમાં આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે.


જ્વેલર્સને બખ્ખાં પડી ગયા


રૂપિયા 2,000ની ચલણી નોટોને પાછા ખેંચવાની જાહેરાત થયા બાદ કિમતી ધાતુઓની ખરીદી માટે લોકોએ દોડ મુકી છે.ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટીક કાઉન્સિલ (GJC)એ જણાવ્યું હતું. અલબત નો યોર કસ્ટમર્સ (KYC)ના કડક પાલનને લીધે રૂપિયા 2,000ની ચલણી નોટોના બદલામાં સોનાની ખરીદીમાં હકીકતમાં ઘટાડો થયો છે. તેમ છતાં જ્વેલર્સ સોનાની ખરીદી પર 5-10 ટકા પ્રિમિયમ મેળવવાની શરૂઆત કરી છે, જેને પગલે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 66,000ને પાર થઈ ગયા છે. વર્તમાન સમયમાં દિલ્હીમાં સોનાના ભાવ 60,200 આસપાસ છે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક જ્વેલર્સે શનિવારે રૂપિયા 2000ની નોટના બદલામાં સોનાનું વેચાણ શરૂ કર્યું છે જો કે આ વેચાણ પણ પ્રિમિયમ રેટથી કરવામાં આવી રહ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.