RBIએ ફરી રેપો રેટ વધાર્યો, જાણો કેટલી વધી જશે હોમ લોનની EMI


  • Published By :
  • Published Date : 2023-02-08 14:25:40

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છઠ્ઠી વખત વ્યાજ દરમાં વધારો કર્યો છે, આજે 8 ફેબ્રુઆરી 2023ના દિવસે RBIએ રેપો રેટમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારા સાથે રેપો રેટ  6.50 ટકા પર પહોંચી ગયો છે. RBIએ છેલ્લે ડિસેમ્બર 2022માં રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કર્યો હતો. RBIના વ્યાજ વધારાથી હોમ લોનના વ્યાજ દરમાં પણ વધારો થશે અને અંતે હોમ લોન ધારકોને  EMI પેટે વધુ રકમ ચૂકવવી પડશે.


હોમ લોનની  EMI કેટલી વધશે?    




રેપો રેટમાં સતત 6ઠ્ઠી વખત વધારો


અત્રે ઉલ્લેખનિય છે કે આરબીઆઈએ રેપો રેટમાં સતત છઠ્ઠી વખત વધારો કર્યો છે. આ પહેલા પાંચ વખતો તો વધારો થઈ  ચુક્યો છે. આરબીઆઈએ એક વર્ષમાં કુલ 225 બેસીસ પોઈન્ટની વૃધ્ધી કરી છે. આરબીઆઈએ છેલ્લે ડિસેમ્બર 2022માં તેમાં 0.35 ટકાની વૃધ્ધી કરી હતી. ત્યાર બાદ તે વધીને 6.24 ટકા કરી દીધો હતો. રેપો રેટ વધવાથી સૌથી વધુ ઝટકો સામાન્ય માણસને લાગ્યો છે, આ રીતે સામાન્ય માણસ પરનું આર્થિક ભારણ વધી જશે.  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.