RBIએ રેપો રેટ 6.5% પર યથાવત રાખ્યો, UPI Liteની ચુકવણી મર્યાદા વધારીને રૂ.500 કરાઈ


  • Published By :
  • Published Date : 2023-08-10 14:19:12

ભારતીય રિઝર્વ બેંકએ તેની ક્રેડિટ પોલીસીની જાહેરાત કરી છે, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ઘોષણા કરી છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ સાથે જ રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત છે,  MSF બેંક રેટ 6.75 પર જળવાઈ રહ્યો છે. સેન્ટ્રલ MPC આવતા વર્ષના પહેલા છ મહિનામાં વ્યાજ દરોમાં વધારો કરી શકે. RBIએ ત્રીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.


લોનધારકોને નિરાશા


આરબીઆઈ ગવર્નરે રેપોરેટ  યથાવત રાખતા હોમલોન, પર્સનલ લોન કે વ્હિકલ લોન ધારકોને મોટો ઝાટકો લાગ્યો છે. દેશના લાખો લોકો લોન સસ્તી થશે તેવી આશા રાખી રહ્યા હતા પણ તેમને નિરાશા હાથ લાગી છે. ત્રણ  દિવસ સુધી ચાલેલી આરબીઆઈની ક્રેડિટ પોલીસીની બેઠકમાં વ્યાજ દર ઘટાડવામાં આવશે તેનું માનવામાં આવી રહ્યા હતું. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા પ્રમાણે  તેમનું ફોક્સ દેશમાં મોંઘવારીને અંકુશમાં રાકવાનું છે. દેશના અર્થતંત્રનો ગ્રોથ યથાવત છે. જો કે મોંઘવારી મોટી સમસ્યા બની છે, આરબીઆઈનું લક્ષ્ય મોંઘવારી દરને 4 ટકા પર લાવવાનો છે, આરબાઈ મુજબ જુલાઈ અને ઓગસ્ટમાં મોંઘવારી દર વધવાનું અનુમાન છે.  આરબીઆઈના જણાવ્યા પ્રમાણે વર્ષ 2023-24 માટે મોંઘવારીનું અનુમાન 5.4 ટકા રહે તેવી શક્યતા છે. 


ઑફલાઇન પેમેન્ટની સુવિધા પણ લાવવામાં આવશે


RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી છે. આ સાથે જ ટૂંક સમયમાં ઓફલાઈન પેમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે UPI પેમેન્ટ્સ વધારવા માટે અનેક પગલાંની જાહેરાત કરી હતી અને એ સાથે જ પોતાના નિવેદનમાં આ અંગેની માહિતી આપી હતી કે RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારીને 200 રૂપિયાથી 500 રૂપિયા સુધી કરશે. આ સાથે જ ટૂંક સમયમાં UPI દ્વારા ઑફલાઇન ટ્રાન્જેકશનની સુવિધા પણ લાવવામાં આવશે અને UPI પ્લેટફોર્મ પર વાતચીતની ચુકવણીની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.