Amazon Payને મોટો ઝટકો, RBIએ ફટકાર્યો રૂ. 3.06 કરોડનો દંડ, જાણો કારણ?


  • Published By :
  • Published Date : 2023-03-03 20:07:11

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ એમેઝોન પે (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ પર 3.06 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) અને તમારા ગ્રાહકને જાણો (KYC) સંબંધિત અમુક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો છે. 


પહેલા ફટકારી હતી નોટિસ


RBIએ તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એવું જોવામાં આવ્યું છે કે સંસ્થા KYC (તમારા ગ્રાહકને જાણો) જરૂરિયાતો પર RBIના નિર્દેશોનું પાલન કરી રહી નથી. RBI એ એમેઝોન પે (Amazon Pay)ને કારણ બતાવો નોટિસ જારી કરીને પૂછ્યું હતું કે નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેના પર દંડ શા માટે લાદવામાં ન આવે. ત્યારબાદ, કંપનીના જવાબને ધ્યાનમાં લીધા પછી, RBI એ નિષ્કર્ષ પર આવ્યું કે તેના નિર્દેશોનું પાલન ન કરવાના આરોપો સાચા છે અને તેના પર નાણાકીય દંડ લાદવામાં આવ્યો હતો.


નિયમો અવગણ્યા તો ફટકાર્યો દંડ


કેન્દ્રિય બેંકે જણાવ્યું હતું કે નિયમનકારી અનુપાલનમાં ખામીઓને કારણે દંડ લાદવામાં આવ્યો છે અને તેનો હેતુ એમેઝોન પે (ભારત) દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા અંગે ટિપ્પણી કરવાનો નથી. એમેઝોન પે (Amazon Pay) એ ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોનનું ડિજિટલ પેમેન્ટ આર્મ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.