રવિન્દ્ર જાડેજાના પિતાએ પુત્રવધૂ રીવાબાને મત ન આપવાની અપીલ કરતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2022-11-29 16:36:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે દરરોજ અવનવા વિવાદો સામે આવી રહ્યા છે. જેમ  કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના જ પુત્રવધૂ રીવાબા જાડેજાને મત ન આપવા લોકોને અપીલ કરતા રાજકારણ ગરમાયું છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપની ટિકિટ પર જામનગર ઉત્તર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.


અનિરુદ્ધસિંહ જાડેજાએ શું કહ્યું?


ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર બીપેન્દ્રસિંહ જાડેજાને મત આપવા અપીલ કરી રહ્યા છે. તેમના પુત્રવધૂ રિવાબા જાડેજા ભાજપના ઉમેદવાર છે અને તે પણ જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. હવે રસપ્રદ બાબત એ છે કે રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસ માટે પ્રચાર કરે છે તો રવિન્દ્ર જાડેજા તેમના પત્ની અને ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા માટે પ્રચાર કરી રહ્યાં છે. 


નણંદ-ભોજાઈ આમને-સામને


રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા અને તેમની નણંદ રીવાબા વચ્ચેની તકરાર જાણીતી છે. કોંગ્રેસના નેતા અને સ્ટાર પ્રચારક નયનાબાએ તેમની ભાભી રીવાબા જાડેજા પર આરોપ લગાવ્યો હતો કે, તે પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરી રહી છે. સહાનુભૂતિ મેળવવા માટે તે બાળકોને પ્રચાર કરી રહી છે. તે ઉપરાંત નણંદ નયનાબાએ તેમને નિશાન બનાવતા તેમની જાતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નયનાબાએ દાવો કર્યો હતો કે, રિવાબાના નામાંકન ફોર્મ પર તેમનું નામ રીવા સિંહ હરદેવ સિંહ સોલંકી તરીકે લખવામાં આવ્યું હતું. જેમાં ક્રોસમાં રવિન્દ્ર જાડેજાનું નામ લખવામાં આવ્યું છે. આ અંગે જણાવતા નયનાબાએ કહ્યું હતું કે, તે રવીન્દ્ર જાડેજાની અટકનો ઉપયોગ માત્ર મત મેળવવા માટે કરી રહી છે જ્યારે બંનેના લગ્નને 6 વર્ષ થયા છે પરંતુ આજદિન સુધી રીવાબા તેમની અટક બદલી શક્યા નથી.  આ સાથે જ નયનાબાએ રીવાબાને સવાલ કર્યો હતો કે, રીવાબા રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના મતદાર છે, પરંતુ તેઓ જામનગર ઉત્તરમાંથી કેવી રીતે ચૂંટણી લડી શકે?. રીવાબા પોતાના માટે પણ મત આપી શકશે નહીં, તો તે કેવી રીતે આશા રાખી શકે કે અન્ય લોકો તેમને મત આપે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.