ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે માતાના મઢ પહોંચ્યા, મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી


  • Published By :
  • Published Date : 2023-06-28 14:09:43

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં કરવામાં આવ્યો છે. IPL સીઝન દરમિયાન સારા દેખાવ બાદ ફાઈનલ મેચની જીતમાં મહત્વનું યોગદાન આપનારા રવીન્દ્ર જાડેજા તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને તેમના પરિવારજનો સાથે ધાર્મિક યાત્રા કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા સાથે કચ્છના પ્રવાસ પર છે. રવિન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા સાથે માતાજીના મઢે પહોંચ્યા છે.


આશાપુરા માતાના મંદિરે દર્શન કર્યા


રવિન્દ્ર જાડેજા તેમજ તેમના ધર્મપત્ની અને ઉત્તર જામનગર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ આજે બુધવારે વહેલી સવારે માતાના મઢ સ્થિત આશાપુરા માતાજીના દર્શન કરી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. માતાના મઢ સ્થાનકે આવેલા જાડેજા દંપત્તિએ સર્વે લોકોની સુખાકારી માટે માતાજી પાસે પ્રાર્થના કરી હતી. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ ટ્વિટર તેમની આ તસવીરો શેઅર કરી હતી.આ તસવીરોને અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક કરી છે, અનેક ચાહકોએ આ તસવીરો પર કોમેન્ટ કરી હતી.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.