વધુ ત્રણ મહિના મફતમાં રાશન મળશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 19:04:18

કેન્દ્રીય નાણા મંત્રાલયે નિર્ણય લીધો છે કે વધુ ત્રણ મહિના દેશના લોકોને ફ્રીમાં રાશન આપવામાં આવશે. કેન્દ્ર સરકાર ત્રણ મહિના મફતમાં રાશન આપશે તો કેન્દ્ર સરકાર પર 45 હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે. વરિષ્ઠ પત્રકારો ચર્ચા કરી રહ્યા છે કે રાજકીય દ્રષ્ટિકોણના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. 


કેમ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો?

કેન્દ્ર સરકાર પાસે રાશન આપવા માટેનો જથ્થો વધારે હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી રહી છે. વરિષ્ઠ પત્રકારોનું કહેવું છે કે ટૂંક સમયમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાનાર છે. જેને ધ્યાનમાં લઈને પણ નિર્ણય લીધો હોય શકે. 


રાશનકાર્ડમાં શું-શું મળશે?

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વધુ 3 મહિના માટે 5-5 કિલો વધુ ઘઉં અને ચોખા મળશે. સસ્તા અનાજની દુકાન પરથી મફતમાં અનાજ મળી શકશે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકોને તકલીફ ના પડે તેના માટે કેન્દ્ર સરકારે મફતમાં 80 કરોડ લોકોને રાશન વિતરણ કર્યું હતું. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે