અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના, કડિયાનાકા પાસે ઘરની બાલ્કની ધરાશાયી, 3 બાળક સહિત 8 લોકોને ઈજા


  • Published By :
  • Published Date : 2023-06-20 17:09:31

અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. દરિયાપુરમાં  કડિયા શેરી પાસે ઘરની બાલ્કની ધરાશાયી થતાં 3 બાળક સહિત 8 લોકોને ઘાયલ થયા છે. કડિયાનાકા પાસે હનુમાનજી મંદિર પાસે સ્લેબ પડતા લોકોમાં દોડધામ મચી ગઈ છે. આ દુર્ઘટનામાં અંદાજે 8 જેટલા લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના બાદ સીઆઈએસએફ અને સ્થાનિક પોલીસે લોકોને દુર્ઘટનાના સ્થળેથી દૂર ખસેડ્યા હતા.






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.