પડતર માંગણીઓને લઈ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લડી લેવાના મૂડમાં, 9મી ડિસેમ્બરથી આંદોલન શરૂ


  • Published By :
  • Published Date : 2023-11-27 17:24:48

ગુજરાત સરકાર સામે સરકારી કર્મચારીઓના વિવિધ સંગઠનોએ આંદોલનનું હથિયાર ઉગામ્યું છે. જ્ઞાન સહાયકો, ટીઆરબી જવાનો, આંગણવાડી કાર્યકરો બાદ હવે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પણ સરકાર સામે બાયો ચઢાવી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તેની પડતર માંગણીઓને લઈ આગામી દિવસોમાં સરકાર વિરૂધ્ધ ધરણા-પ્રદર્શનો કરશે. ઉલ્લેખનિય છે કે ગુજરાત સરકારે રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘની મોટાભાગની પડતર માગણીઓ સ્વિકારી લીધી છે. જો કે સરકારે આ મુદ્દે કોઈ ઠરાવ ન કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે અંતે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

પદયાત્રા યોજીને રાજ્યમાં મહાપંચાયત કરશે


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આગામી 9મી ડિસેમ્બરે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્ય સરકાર સામે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. સંઘે સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ મનાવવા માટે વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 9મી ડિસેમ્બરે સરકારની સામે રાજ્યભરમાં પદયાત્રા યોજીને મહાપંચાયત કરશે, જેમાં પડતર માંગણીઓને લઇને વિરોધ નોંધાવશે. ખાસ વાત છે કે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પડતર માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે પરંતુ ઠરાવ હજુ સુધી પસાર કરવામાં આવ્યો નથી.


આંદોલનમાં તમામ શિક્ષકો જોડાશે


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જ્ઞાન સહાયક શિક્ષક યોજના, જૂની પેન્શન યોજનાનો લાભ, ગ્રાન્ટ વધારો, કર્મચારીઓને બદલીના લાભ સહિતની બીજી કેટલાય પડતર માંગણીઓ માટે આગામી 9મી ડિસેમ્બરે ખુલ્લો વિરોધ નોંધાવશે. 9મી ડિસેમ્બરે રાજ્યભરમાં પદયાત્રા કરશે અને બાદમાં મહાપંચાયત કાર્યક્ર્મનું આયોજન કરશે. આ આંદોલનમાં રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં શિક્ષકો જોડાશે, આ આંદોલનમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીના શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારી અને સંચાલકો જોડાશે. અલગ-અલગ જિલ્લાઓમાં પદયાત્રા અને મહાપંચાયત કરી આ વિરોધ નોંધાવશે. 


અનેક રજૂઆતો છતાં નિવેડો નહીં


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત ઉપાધ્યક્ષ ભરતસિંહ ચાવડા એ જણાવ્યુ કે સરકારમાં વારંવાર રજૂઆતો તથા મુલાકાતો કરવામાં આવી છતાં પણ સમાધાન થયું નથી. અને પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સરકાર સાથે‌ અગાઉ સમાધાન દરમિયાન જે જાહેરાત કરવામાં આવી હતી તથા જે તે આંદોલન વખતે જે માંગણીઓ હતી તેના પણ પરિપત્ર અલગ કરવામાં આવ્યા હતા. તેથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા શિક્ષણ વિભાગને 21 તારીખનું અલ્ટીમેટમ આપી અને જણાવ્યું છે કે ત્યાં સુધીમાં તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સરકાર સામે રણ મેદાનમાં ઉતરશે તથા ગુજરાતના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગના તમામ મિત્રો પોતાના પડતર પ્રશ્નો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સાથે આંદોલનમાં સહભાગી બનશે. 


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આ છે પડતર પ્રશ્નો 


1. જ્ઞાનસહાયક યોજના રદ્દ કરીને 10,000થી વધુ ખાલી જગ્યામાં કાયમી ભરતી કરવી 2. 2005 પછી નિમણુક પામેલા તમામ શિક્ષકોને જૂની પેનશન યોજનામાં સમાવવા 3. આચાર્યને 1965ના ઠરાવ મુજબ ઇજાફો આપવો 4. NPSમાં 300 રજાનું રોકડમાં રૂપાંતર 5. ધોરણ 9 થી 12માં સરાસરી કાયમી ધોરણે ઘટાડવી 6. એન.પી.એસ.માં 10 ટકા કપાતની સામે સરકારનો 14 ટકા ફાળો કરવો 7. વર્ગદીઠ 2 શિક્ષકનો રેશિયો આપી સુધારો કરવો 8. પીટી શિક્ષક, લાઇબ્રેરીયન વગેરેની તત્કાલ ભરતી કરવી 9. સાતમા પગાર પંચનો પાંચમો હપ્તો રોકડમાં ચૂકવવો 10. ફાજલના કાયમી રક્ષણમાં 120 દિવસની મર્યાદા દૂર કરવી 11. ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી બદલી સહિત લાભા આપવા 12. વિદ્યાર્થી દીઠ રૂ.2 હજારની ગ્રાન્ટ ફાળવવી 13. ઉદ્યોગ શિક્ષકોનો એન્ટ્રી લેવલ પે સ્કેલ, લઘુ લાયકાતના કારણે અટવાયેલ ઉચ્ચતર પગાર ધોરણ સત્વરે આપવું વગેરે વગેરે....



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!