કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ધોળા દિવસે ગોળી મારી હત્યા, રાજપૂત સમાજમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-12-05 16:31:18

રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ હડકંપ મચી ગયો છે, હત્યાના સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરી ગયા હતા, પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો સુખદેવ સિંહ ગોગામેડી પર ચાર ગોળી મારી ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ગોળીબાર બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 


સ્કૂટર પર આવ્યા હતા હુમલાખોરો


સુખદેવ સિંહ ગોગામેડીને તાત્કાલિક મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના વખતે હાજર રહેલા અજીત સિંહ પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. પોલીસનું કહેવું છે કે સુખદેવ સિંહ ગોગામેડી મંગળવારે બપોરે લગભગ 1.45 વાગ્યે શ્યામ નગર જનપથ સ્થિત ઘરમાં હતા, હુમલાખોરો સ્કૂટર પર આવ્યા હતા. 

 

રાજપૂત સમાજમાં રોષ


સુખદેવ સિંહ ગોગામેડીની ધોળાદિવસે ગોળી મારીને હત્યા થતા સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઈ છે. ગોગામેડીની હત્યાના સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં ઉમટી પડ્યા છે. સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. તેમની હત્યાનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.