અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી 'રામલલ્લા'ની મૂર્તિની કરાશે Ram Mandirમાં સ્થાપના, શિલ્પકારની માતાએ કહ્યું...


  • Published By :
  • Published Date : 2024-01-02 12:52:08

લાખો કરોડો રામ ભક્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન શ્રી રામની મૂર્તિની સ્થાપના ભવ્ય મંદિરમાં કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે જેને લઈ અયોધ્યામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.કરોડો હિંદુઓની આસ્થા આ મૂર્તિ સાથે જોડાયેલી છે. મંદિરમાં ભગવાન શ્રી રામની કઈ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તે અંગેની જાણકારી સામે આવી છે. મૂર્તિની પસંદગી કરવામાં આવી ગઈ છે જેના દર્શન રામ ભક્તો કરવાના છે. જે મૂર્તિ પર નજર ઠરી છે તે મૂર્તિ આપણા દેશના મૂર્તિકાર યોગીરાજ અરૂણ દ્વારા બનાવવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપવામાં આવી છે.

Image

22 જાન્યુઆરીએ થવાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા

રામ મંદિરમાં કઈ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તે અંગેની ચર્ચા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિની પસંદગી કરવાની હતી અને તેની પસંદગી થઈ ગઈ છે. રામ મંદિરમાં કર્ણાટકના શિલ્પકાર અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભવ્ય કાર્યક્રમનું આયોજન થવાનું છે. આ ઉત્સવને લઈને રામનગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. મૂર્તિની પંસદગી કરવામાં આવી છે જે દેશના પ્રખ્યાત શિલ્પકાર યોગારાજ અરૂણ દ્વારા બનાવવામાં આવી છે. આ વાતની જાણકારી પ્રહલાદ જોષીએ આપી છે.


પ્રહલાદ જોશીએ આપી આ અંગેની જાણકારી 

તેમણે લખ્યું છે કે જ્યાં રામ છે, ત્યાં હનુમાન છે. 'જ્યાં રામ છે ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે મૂર્તિની પસંદગીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આપણા દેશના પ્રસિદ્ધ શિલ્પકાર, આપણા ગૌરવ યોગીરાજ અરુણજી દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. આ વાતની જાણ જ્યારે શિલ્પકારના માતાને થઈ ત્યારે તે ગદગદ થઈ ગયા હતા કારણ કે તેમના પુત્ર દ્વારા બનેલી મૂર્તિના દર્શન રામ ભગવાનના કરોડો ભક્ત કરશે. 

પુત્રની સફળતા જોઈને ખુશ છું - શિલ્પકાર અરુણની માતા  

દુનિયામાં માત્ર માતા પિતા જ એવા વ્યક્તિ હોય છે જે દિલથી ઈચ્છતા હોય છે કે તેમનું સંતાન તેમના કરતા પણ વધારે સફળ થાય. બાળકની નાની નાની સફળતામાં પણ વાલીઓ ખુશ થઈ જતા હોય છે. શિલ્પકાર અરૂણની માતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ આનાથી ખૂબ ખુશ છે. તેમની માતાએ કહ્યું કે તેમના પુત્રએ તેમને રામ લલ્લાની મૂર્તિ પણ બતાવી ન હતી. તેમણે કહ્યું કે આ અમારા માટે ગૌરવની ક્ષણ છે, હું તેને મૂર્તિ બનાવતા જોવા માંગતી હતી પરંતુ તેણે કહ્યું કે તે મને છેલ્લા દિવસે લઈ જશે. હું પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અયોધ્યા જઈશ. હું મારા પુત્રની પ્રગતિ અને સફળતા જોઈને ખુશ છું. તેની સફળતા જોવા તેના પિતા હાજર નથી.     



રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.

અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી પતે હવે ખાસ્સો સમય થવા આવ્યો છે. પરંતુ હજી સુધી બીજેપી તેના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ ઘોષિત ના કરી શકી . આ બીજેપી અધ્યક્ષની રેસમાં નીતિન ગડકરી , શિવરાજસિંહ ચૌહાણ , મનોહરલાલ ખટ્ટર તથા અન્ય નામો છે. તો હવે જોઈએ બીજેપી કોની પર પસંદગીનો કળશ ઢાળે છે .

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પછી સમગ્ર વિશ્વના શેરબજારો ખુબ જ ડાઉન ગયા છે. આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વાત કરીએ યુરોપીઅન યુનિયનની તો કેનેડા અને ચાઈના પછી યુરોપ અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવી શકે છે. લંડન અને ઇઝરાયેલ વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે.