હિંદુઓને લઈ રમેશ ફેફરે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું : ત્રેતાયુગમાં બ્રાહ્મણો અધર્મી થતા ભગવાન રામે... સાંભળો તેમનું નિવેદન


  • Published By :
  • Published Date : 2023-08-26 16:35:35

રાજકોટમાં રહેતા રમેશ ફેફર પોતાને કલ્કી અવતાર કહે છે. પોતાના નિવદેનને લઈ રમેશ ફેફર ચર્ચામાં રહે છે. ત્યારે તેમણે એક વિવાદીત નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે ત્રેતાયુગમાં બ્રાહ્મણો અધર્મી થતા ભગવાન રામે ક્ષત્રિયના ઘરે જન્મ લીધો. દયાનંદ સરસ્વતી પણ રાક્ષસ હતા. કળિયુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વેપારીઓ ભ્રષ્ટ થઈ ગયા છે. કળિયુગમાં શેરીની સફાઈ કરનાર જ શ્રેષ્ઠ છે. 

ચંદ્રયાન-3એ વડાપ્રધાન મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે - રમેશ ફેફર

વધુમાં તેમણે કહ્યું કે આગામી 7 વર્ષમાં હું બ્રાહ્મણ, ક્ષત્રિય અને વ્યાપારીઓને હાર્ટ એટેકથી મારી નાખીશ. હિન્દુ ધર્મના બધા મંદિરો પેટ ભરવાના સાધન છે. શા માટે દાન પેટી પ્રથમ આવે છે અને ત્યાર બાદ મૂર્તિના દર્શન થાય છે? રાજકોટના રમેશ ફેફરે કહ્યું હતું કે, મારું એક વખત મૃત્યુ થઈ ચૂક્યું છે. હું 14 દિવસ મારા શરીરમાં નહોતો. તે ઉપરાંત તેમણે ચંદ્રયાન વિશે વાત કરતા કહ્યું કે ચંદ્રયાન-3એ વડાપ્રધાન મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે. 

ભાજપ કૌરવ સેના છે - રમેશ ફેફર

વિષ્ણુ ભગવાનનો 9મો અવતાર ઈશુ ખ્રિસ્ત હતા પરંતુ 9મો અવતાર ભગવાન બુધ્ધ નહોતા. હું વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર છું. સોનિયા ગાંધી ત્રીજટાનો અવતાર છે. સોનિયા ગાંધીએ સીતાજીની ખુબ સેવા કરી છે. શ્રીરામના આશીર્વાદથી જ સોનિયા ગાંધીને રાજપાટ મળ્યું હતું. જ્યારે ભાજપ કૌરવ સેના છે.



રમેશ ફેફરની કરી લેવાઈ અટકાયત   

મહત્વનું છે કે રમેશ ફેકર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને મળતી માહિતી અનુસાર તેમની અટકાયત કરી લેવામાં આવી છે. હિંદુઓ માટે આપેલા નિવદેનને કારણે અનેક હિંદુઓની લાગણી દુભાઈ હશે. જે રમેશ ફેકરે આવું નિવેદન આપ્યું છે તે પોતાને કલ્કિ અવતાર ગણાવે છે. મહત્વનું છે કે બ્રાહ્મણો માટે આપેલા નિવેદનને લઈ અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના હેમાંગ રાવલે એક જાહેરાત કરી છે કે જે પણ રમેશ ફેફરનું મોઢું કાળુ કરશે તેમને 11 હજારનું ઈનામ આપવામાં આવશે. 


શું કહે બંધારણ?   

Article 15 એટલે કે એવો મૌલિક અધિકાર જે હેઠળ કોઇ પણ ભારતીય નાગરિક પાસેથી એનો ધર્મ, નસ્લ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થાનના આધાર પર ભેદ ભાવ કરવામાં આવશે નહીં. સરકાર અને સમાજની આ જવાબદારી છે કે તેઓ કોઇ આવો ભેદભાવ થવા દે નહીં. અમે આ માધ્યમથી કોઈ પણ સમાજ વિશે ઉચ્ચારેલા આવા વાક્યોની નિંદા કરીએ છીએ. 


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.