હિંદુઓને લઈ રમેશ ફેફરે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું : ત્રેતાયુગમાં બ્રાહ્મણો અધર્મી થતા ભગવાન રામે... સાંભળો તેમનું નિવેદન


  • Published By :
  • Published Date : 2023-08-26 16:35:35

રાજકોટમાં રહેતા રમેશ ફેફર પોતાને કલ્કી અવતાર કહે છે. પોતાના નિવદેનને લઈ રમેશ ફેફર ચર્ચામાં રહે છે. ત્યારે તેમણે એક વિવાદીત નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે ત્રેતાયુગમાં બ્રાહ્મણો અધર્મી થતા ભગવાન રામે ક્ષત્રિયના ઘરે જન્મ લીધો. દયાનંદ સરસ્વતી પણ રાક્ષસ હતા. કળિયુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વેપારીઓ ભ્રષ્ટ થઈ ગયા છે. કળિયુગમાં શેરીની સફાઈ કરનાર જ શ્રેષ્ઠ છે. 

ચંદ્રયાન-3એ વડાપ્રધાન મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે - રમેશ ફેફર

વધુમાં તેમણે કહ્યું કે આગામી 7 વર્ષમાં હું બ્રાહ્મણ, ક્ષત્રિય અને વ્યાપારીઓને હાર્ટ એટેકથી મારી નાખીશ. હિન્દુ ધર્મના બધા મંદિરો પેટ ભરવાના સાધન છે. શા માટે દાન પેટી પ્રથમ આવે છે અને ત્યાર બાદ મૂર્તિના દર્શન થાય છે? રાજકોટના રમેશ ફેફરે કહ્યું હતું કે, મારું એક વખત મૃત્યુ થઈ ચૂક્યું છે. હું 14 દિવસ મારા શરીરમાં નહોતો. તે ઉપરાંત તેમણે ચંદ્રયાન વિશે વાત કરતા કહ્યું કે ચંદ્રયાન-3એ વડાપ્રધાન મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે. 

ભાજપ કૌરવ સેના છે - રમેશ ફેફર

વિષ્ણુ ભગવાનનો 9મો અવતાર ઈશુ ખ્રિસ્ત હતા પરંતુ 9મો અવતાર ભગવાન બુધ્ધ નહોતા. હું વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર છું. સોનિયા ગાંધી ત્રીજટાનો અવતાર છે. સોનિયા ગાંધીએ સીતાજીની ખુબ સેવા કરી છે. શ્રીરામના આશીર્વાદથી જ સોનિયા ગાંધીને રાજપાટ મળ્યું હતું. જ્યારે ભાજપ કૌરવ સેના છે.



રમેશ ફેફરની કરી લેવાઈ અટકાયત   

મહત્વનું છે કે રમેશ ફેકર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને મળતી માહિતી અનુસાર તેમની અટકાયત કરી લેવામાં આવી છે. હિંદુઓ માટે આપેલા નિવદેનને કારણે અનેક હિંદુઓની લાગણી દુભાઈ હશે. જે રમેશ ફેકરે આવું નિવેદન આપ્યું છે તે પોતાને કલ્કિ અવતાર ગણાવે છે. મહત્વનું છે કે બ્રાહ્મણો માટે આપેલા નિવેદનને લઈ અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના હેમાંગ રાવલે એક જાહેરાત કરી છે કે જે પણ રમેશ ફેફરનું મોઢું કાળુ કરશે તેમને 11 હજારનું ઈનામ આપવામાં આવશે. 


શું કહે બંધારણ?   

Article 15 એટલે કે એવો મૌલિક અધિકાર જે હેઠળ કોઇ પણ ભારતીય નાગરિક પાસેથી એનો ધર્મ, નસ્લ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થાનના આધાર પર ભેદ ભાવ કરવામાં આવશે નહીં. સરકાર અને સમાજની આ જવાબદારી છે કે તેઓ કોઇ આવો ભેદભાવ થવા દે નહીં. અમે આ માધ્યમથી કોઈ પણ સમાજ વિશે ઉચ્ચારેલા આવા વાક્યોની નિંદા કરીએ છીએ. 


થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!