અમદાવાદના વાડજ વિસ્તારમાં ડિમોલેશન, જીગ્નેશ મેવાણીનો સરકાર પર બિલ્ડરો સાથે સાંઠગાંઠનો આરોપ


  • Published By :
  • Published Date : 2023-01-10 19:21:52

અમદાવાદના વાડજ વિસ્તારમા આવેલા રામાપીર ટેકરા વિસ્તારમાં ગરીબોના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપાલિટીની ટીમે ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ડિમોલિશનની કામગીરી શરૂ કરી તેને રોકવા માટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે તાત્કાલિક કાર્યવાહી સ્થગિત કરવાનું સફળતાપૂર્વક નિવેદન કર્યું હતું.


મેવાણીએ ટ્વિટ કરી સરકાર પર લગાવ્યા આરોપ


રામાપીરના ટેકરા વિસ્તારમાં મ્યુનિસિપાલિટીની ટીમે ડિમોલિશનની કામગીરી શરૂ કરી તેને લઈ જીજ્ઞેશ મેવાણીએ ટિ્વટ કરી રાજ્ય સરકાર પર બિલ્ડરોને મદદ કરાવાના હેતુથી વગર મંજુરીએ 250થી વધુ પરિવારોના ઘરોને તોડવાનો આરોપ લગાવ્યો હતો. બિલ્ડરો દ્વારા મોકલવામાં આવેલા ગુંડાઓએ તલવારની ધારે લોકોને ડરાવ્યા હોવાનો તથા બનાવટી દસ્તાવેજો દ્વારા ભ્રષ્ટાચાર આચરવાનો અને તેમાં બિલ્ડરો અને સરકારી અધિકારીઓની સાંઠગાઠનો પણ મેવાણીએ આરોપ લગાવ્યો હતો.  


અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં વસ્તીના મકાનો પર બુલ્ડોઝર ચલાવાયું હતું. જે લોકોએ ઝુંપડાઓ બંધાવ્યા હતા તેના મકાનો હટાવવાના હતા. અહીં આવાસ બનાવવાની યોજનાઓ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.