PM Modiના ઘરે Ram Pratishtha મહોત્સવની કંઈ આ રીતે કરાઈ ઉજવણી, સંગીતના સુરો રેલાયા અને કરાઈ રંગોળી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-22 14:13:46

અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં આજે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી . પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિવાળી જેવો માહોલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા હતા. પીએમ મોદીના માતા પ્રત્યેના લગાવને કોણ નથી જાણતું? પીએમ મોદીની માતા જ્યાં રહેતા હતા તે ઘરને સારી રીતે સજાવવામાં આવ્યું છે. 

દેશમાં દિવાળી જેવો માહોલ!

દેશવાસીઓમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ એવો ઉત્સાહ છે કે જાણે બીજી વખત દિવાળી ઉજવી રહ્યા હોય. ગુજરાત પણ રામમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે. રસ્તાઓ પર રામ ભગવાનની ધ્વજાઓ ફરકાવવામાં આવી છે. રોશની કરવામાં આવી છે. આજના દિવસે ઘરમાં દીવા કરવામાં આવે તેવી વાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જે પીએમ મોદીના ઘરનો છે. પીએમ મોદીના માતા જે ઘરમાં રહેતા હતા તે ઘરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. 

પીએમ મોદીના ભત્રીજા અને ભત્રીજા વહુએ ઘરને સજાવ્યું!

પીએમ મોદીના માતાના રૂમને સજાવવામાં આવતા એક વીડિયો પણ સામે આવ્યો છે.પીએમ મોદીના ભત્રીજા અને ભત્રીજાવહુએ આ રૂમ સજાવ્યો હતો. જણાવી દઈએ કે પીએમ મોદીની માતા તેમના પુત્ર પંકજ મોદીના ઘરે રહેતા હતા. તેમના આ ઘરને શણગારવામાં આવી રહ્યું છે. ઘરની સજાવટનો જે વીડિયો સામે આવ્યો છે તે પીએમ મોદીના નાના ભાઈ પંકજ મોદીના ગાંધીનગર સ્થિત ઘરનો છે. પીએમ મોદીની માતા પણ અહીં રહેતા હતા. 


પંકજ મોદીના દીકરાએ વાંસળી વગાડી!

આ વીડિયોમાં પંકજ મોદીનો પુત્ર સચિન અને ભત્રીજા વહુ ઉન્નતિ રંગોળી બનાવતા અને વાંસળી વગાડતા જોવા મળે છે. વીડિયોમાં સચિન મુરલી પર ‘મેરી ઝોપડી કે ભાગ્ય આજ ખુલ જાયેંગે’ની ધૂન વગાડતા જોવા મળે છે જ્યારે તેમની પત્ની ઉન્નતિ ઘરને રંગોળી બનાવી રહ્યા છે. ઘરના છોડને પણ સજાવવામાં આવ્યા છે. રંગોળીની સાથે ઘરને ફૂલોથી પણ શણગારવામાં આવ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.