રામનવમીના એક દિવસ બાદ પશ્ચિમ બંગાળના હાવડામાં ફરી હિંસા ભડકી, હિંસાગ્રસ્ત વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી


  • Published By :
  • Published Date : 2023-03-31 15:30:14

પશ્ચિમ બંગાળના હાવડામાં રામ નવમી નિમિત્તે શોભા યાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. જેમાં બે કોમ સામસામે આવી જતાં ઉગ્ર પથ્થરમારો અને આગચંપી થઈ હતી. આજે ફરી હાવડામાં હિંસાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી અને હાવડાના શિવપુરમાં પથ્થરમારો થયો હતો. આ પહેલા ગુરુવારે ફાટી નીકળેલી હિંસામાં બે સમુદાયો સામસામે આવી ગયા હતા. જે બાદ ઉગ્ર પથ્થરમારો થયો હતો અને અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.


મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો


હાવડા હંગામા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે કોઈ સરઘસ પર પ્રતિબંધ મૂક્યો નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સાથે રમત સહન કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ માહિતી આપી કે હાવડા હિંસા કેસમાં અત્યાર સુધીમાં 41 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હિંસા ભડકાવનારા હિંદુ નથી, તેઓ બહારથી લાવવામાં આવ્યા છે. ભાજપ બંગાળને અશાંત કરવા માંગે છે. લઘુમતી સમુદાયના લોકો રમઝાનમાં વ્યસ્ત હોવાથી હિંસામાં સામેલ નથી.


'મુસ્લિમો રમઝાનમાં ખોટું કામ કરતા નથી'


મમતા બેનર્જીએ કહ્યું કે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે અને મુસ્લિમો આ મહિનામાં કોઈ ખોટું કામ કરતા નથી. તેમણે કહ્યું કે મારી આંખ અને કાન ખુલ્લા છે. હું બધું સૂંઘી શકું છું. મુસ્લિમ વિસ્તારોમાંથી સરઘસ કાઢતી વખતે મેં તેમને ચેતવણી આપી હતી કે જો તેઓ રામ નવમીની રેલી કાઢશે તો હિંસા થઈ શકે છે. કોને પૂછીને તેમણે શોભા યાત્રાનો રૂટ બદલ્યો? જેથી કરીને સમુદાયને નિશાન બનાવી શકાય.

અત્રે ઉલ્લેખનિય છે કે રામ નવમીના તહેવાર પર દેશના અનેક ભાગોમાં હિંસા જોવા મળી હતી. હાવડા ઉપરાંત ગુજરાતના વડોદરા, મહારાષ્ટ્રના સંભાજીનગર અને જલગાંવમાં પણ હિંસા ભડકી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.