રામ મોકરિયાના ઉછીના રુપિયાનો મામલો ફરી ગાજ્યો, કોંગ્રેસના આ નેતાએ સવાલ ઉઠાવતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-06-27 16:58:50

ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની એક સોશિયલ મીડિયા પોસ્ટ થોડા  દિવસો પહેલા ખુબ વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં તેમણે ભાજપના એક સિનિયર નેતા પર તેમના દ્વારા આપવામાં આવેલા ઉછીના રૂપિયા પરત નહીં આપવાનો આરોપ લગાવ્યો હતો. રામ મોકરિયાની આ પોસ્ટ બાદ ખળભળાટ મચી ગયો હતો. રાજકીય વર્તુળોમાં આ સિનિયર કોણ છે તે અંગે અનેક તર્ક-વિતર્કો કરવામાં આવ્યા હતા. રામ મોકરિયાના જણાવ્યા પ્રમાણે આ રકમ કરોડોમાં હતી. જો કે હવે આ મામલે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. કોંગ્રેસના અગ્રણી નેતા મહેશ રાજપૂતે આ મુદ્દે સવાલ ઉઠાવતા રામ મોકરીયાની હાલત કફોડી બની છે. આ સમગ્ર મામલે તેમણે મૌન સેવ્યું છે.


મહેશ રાજપૂતના આરોપોએ મોકરિયાની ચિંતા વધારી


રાજ્ય સભા સાંસદ રામભાઈ મોકરિયાની ફેસબુક પોસ્ટ અંગે મહેશ રાજપૂતે તેમના પર આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે, રામભાઈ મોકરિયાએ તેમના ચૂંટણી સોગંદનામામાં 2008 અને 2011નો હિસાબ દર્શાવ્યો નથી. રામ મોકરીયાએ કોઈને મોટી રકમ ઉછીની આપી હોય તો રાજ્યસભાના ઉમેદવાર તરીકેના તેમના સોગંદનામામાં તે રકમનો ઉલ્લેખ કેમ કર્યો નથી? મહેશ રાજપૂતે વધુમાં કહ્યું હતું કે જ્યારે પણ કોઈ ઉમેદવાર કોઈપણ ચૂંટણી લડતા હોય ત્યારે તેમણે મિલકતો, દેવું, રોકડ રકમ સહિતની વિગતો સોગંદનામામાં રજૂ કરવી પડે.  જો કે રામ મોકરિયાએ આ રકમ વિશે કેમ ઉલ્લેખ કર્યો નથી.આ મિલકત કાળું નાણું હોઇ શકે છે. મહેશ રાજપૂતે દાવો કર્યો છે કે આ મુદ્દે તેઓ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરશે અને સભ્યપદ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરશે,જોકે રામ મોકરીયાએ આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.


સમગ્ર મામલે રામ મોકરિયાનું ભેદી મૌન


કોંગ્રેસના આરોપો અંગે જ્યારે સાંસદ રામ મોકરિયાનો સંપર્ક કરાયો તો તેમણે કંઇ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. રામ મોકરિયાએ દાવો કર્યો હતો કે "આ મારી વ્યક્તિગત બાબત છે અને તેનો જવાબ દેવો જરૂરી નથી હું મૌન રહેવા માંગુ છું.આ મુદ્દે મને પાર્ટી પુછશે તો હું જવાબ આપવા તૈયાર છું, જ્યાં સુધી સોગંદનામાની વાત છે તો આ મુદ્દે ફરિયાદ કરી શકે છે. મેં આ રૂપિયા અંગે ક્યારેય કોઇનું નામ લીધું નથી અને લેવા પણ માંગતો નથી."  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.