રામ મોકરિયાના ઉછીના રુપિયાનો મામલો ફરી ગાજ્યો, કોંગ્રેસના આ નેતાએ સવાલ ઉઠાવતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-06-27 16:58:50

ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની એક સોશિયલ મીડિયા પોસ્ટ થોડા  દિવસો પહેલા ખુબ વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં તેમણે ભાજપના એક સિનિયર નેતા પર તેમના દ્વારા આપવામાં આવેલા ઉછીના રૂપિયા પરત નહીં આપવાનો આરોપ લગાવ્યો હતો. રામ મોકરિયાની આ પોસ્ટ બાદ ખળભળાટ મચી ગયો હતો. રાજકીય વર્તુળોમાં આ સિનિયર કોણ છે તે અંગે અનેક તર્ક-વિતર્કો કરવામાં આવ્યા હતા. રામ મોકરિયાના જણાવ્યા પ્રમાણે આ રકમ કરોડોમાં હતી. જો કે હવે આ મામલે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. કોંગ્રેસના અગ્રણી નેતા મહેશ રાજપૂતે આ મુદ્દે સવાલ ઉઠાવતા રામ મોકરીયાની હાલત કફોડી બની છે. આ સમગ્ર મામલે તેમણે મૌન સેવ્યું છે.


મહેશ રાજપૂતના આરોપોએ મોકરિયાની ચિંતા વધારી


રાજ્ય સભા સાંસદ રામભાઈ મોકરિયાની ફેસબુક પોસ્ટ અંગે મહેશ રાજપૂતે તેમના પર આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે, રામભાઈ મોકરિયાએ તેમના ચૂંટણી સોગંદનામામાં 2008 અને 2011નો હિસાબ દર્શાવ્યો નથી. રામ મોકરીયાએ કોઈને મોટી રકમ ઉછીની આપી હોય તો રાજ્યસભાના ઉમેદવાર તરીકેના તેમના સોગંદનામામાં તે રકમનો ઉલ્લેખ કેમ કર્યો નથી? મહેશ રાજપૂતે વધુમાં કહ્યું હતું કે જ્યારે પણ કોઈ ઉમેદવાર કોઈપણ ચૂંટણી લડતા હોય ત્યારે તેમણે મિલકતો, દેવું, રોકડ રકમ સહિતની વિગતો સોગંદનામામાં રજૂ કરવી પડે.  જો કે રામ મોકરિયાએ આ રકમ વિશે કેમ ઉલ્લેખ કર્યો નથી.આ મિલકત કાળું નાણું હોઇ શકે છે. મહેશ રાજપૂતે દાવો કર્યો છે કે આ મુદ્દે તેઓ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરશે અને સભ્યપદ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરશે,જોકે રામ મોકરીયાએ આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.


સમગ્ર મામલે રામ મોકરિયાનું ભેદી મૌન


કોંગ્રેસના આરોપો અંગે જ્યારે સાંસદ રામ મોકરિયાનો સંપર્ક કરાયો તો તેમણે કંઇ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. રામ મોકરિયાએ દાવો કર્યો હતો કે "આ મારી વ્યક્તિગત બાબત છે અને તેનો જવાબ દેવો જરૂરી નથી હું મૌન રહેવા માંગુ છું.આ મુદ્દે મને પાર્ટી પુછશે તો હું જવાબ આપવા તૈયાર છું, જ્યાં સુધી સોગંદનામાની વાત છે તો આ મુદ્દે ફરિયાદ કરી શકે છે. મેં આ રૂપિયા અંગે ક્યારેય કોઇનું નામ લીધું નથી અને લેવા પણ માંગતો નથી."  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!