રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: અંતે અડવાણી અને મુરલી મનોહર જોશીને મળ્યું આમંત્રણ, જાણો તેમણે શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-19 18:24:26

ભાજપના અગ્રણી નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારોહ માટે આમંત્રણ મળ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે મંગળવારે બંને વરિષ્ઠ નેતાઓને આમંત્રણ કાર્ડ આપ્યા હતા. રામ મંદિર ચળવળના પ્રણેતા, આદરણીય લાલ કૃષ્ણ અડવાણીજી અને આદરણીય ડૉ. મુરલી મનોહર જોશી જીને 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમની સાથે રામ મંદિર ચળવળ વિશે વાત થઈ હતી. બંને અગ્રણીઓએ કહ્યું કે તેઓ આવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. રામ મંદિરના અગ્રણી નેતાઓમાં સામેલ અડવાણી અને જોશીએ કહ્યું કે તેઓ આ સમારોહમાં હાજરી આપવા માટે તમામ પ્રયાસો કરશે. 




ન આવવા કરાઈ હતી વિનંતી


અગાઉ એવું જાણવા મળ્યું હતું કે સ્વાસ્થ્ય અને ઉંમરના કારણે બંને નેતાઓને આ કાર્યક્રમમાં ન આવવા વિનંતી કરવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે અડવાણી અને જોશી બંને પરિવારના વૃદ્ધ નેતા છે. તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને ન આવવા વિનંતી કરવામાં આવી હતી, જે તેમણે સ્વીકારી હતી. જોકે, હવે VHPએ સ્પષ્ટતા કરી છે કે લાલકૃષ્ણ અડવાણી અને ડૉ. મુરલી મનોહર જોશીને આમંત્રણ પત્રો આપવામાં આવ્યા છે અને બંને કાર્યક્રમમાં હાજરી આપવાનો પણ પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે અડવાણી 96 વર્ષના છે અને જોશી આવતા મહિને જાન્યુઆરીમાં 90 વર્ષના થશે.       


15 જાન્યુઆરી સુધી તૈયારીઓ પૂર્ણ કરાશે


રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમારોહની તમામ તૈયારીઓ 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ પૂજા 16મી જાન્યુઆરીથી શરૂ થશે અને 22મી જાન્યુઆરી સુધી ચાલશે. આ કાર્યક્રમમાં વિવિધ પરંપરાના 150 ઋષિ-સંતો અને છ દર્શન પરંપરાના શંકરાચાર્ય સહિત 13 અખાડાઓ ભાગ લેશે. કાર્યક્રમમાં ચાર હજાર જેટલા સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય 2200 અન્ય મહેમાનોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે.


48 દિવસ સુધી મંડલ પૂજા થશે


કાશી વિશ્વનાથ, વૈષ્ણોદેવી જેવા મુખ્ય મંદિરોના વડાઓ, ધાર્મિક અને બંધારણીય સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અભિષેક વિધિ બાદ ઉત્તર ભારતની પરંપરા મુજબ 24 જાન્યુઆરીથી 48 દિવસ સુધી મંડલ પૂજા યોજાશે. જ્યારે 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો રામલલાના દર્શન કરી શકશે. અયોધ્યામાં ત્રણથી વધુ સ્થળોએ મહેમાનોના રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ સિવાય વિવિધ મઠો, મંદિરો અને ગૃહસ્થ પરિવારો દ્વારા 600 રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 25મી ડિસેમ્બરથી ત્રણ મુખ્ય સ્થળોએ ભંડારા પણ શરૂ થશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.