Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠાને એક મહિનો થયો પૂર્ણ, રામ લલ્લાની ઝાંખી કરવા ઉમટી ભાવિકોની ભીડ, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-02-22 10:39:19

ગયા મહિનાની 22 તારીખને રામ ભક્તો કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. 22 જાન્યુઆરીના દિવસે ભગવાન રામ અનેક દાયકાઓ બાદ મંદિરમાં બિરાજમાન થયા હતા. એ ક્ષણની રાહ અનેક રામ ભક્તોએ ઘણા સમયથી જોઈ હતી જ્યારે ટેન્ટમાં બિરાજેલા ભગવાન મંદિરમાં બિરાજે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાનને ગર્ભ ગૃહમાં બિરાજમાન થયે આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. રામ ભગવાનની ઝાંખી કરવા ભક્તો આતુર બન્યા છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા એક મહિનામાં અંદાજીત 60 લાખ જેટલા ભક્તોએ રામ મંદિરની મુલાકાત લીધી છે. 

22 જાન્યુઆરીએ ગર્ભ ગૃહમાં બિરાજમાન કરાઈ હતી ભગવાન રામની પ્રતિમાને! 

રામ ભગવાન અનેક ભક્તોના ઈષ્ટ દેવ છે. અનેક ભક્તોની આસ્થા ભગવાન રામ સાથે જોડાયેલી છે. અનેક દાયકાઓ સુધી ભગવાન રામ ટેન્ટમાં રહ્યા હતા અને રામ ભક્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થાય. ત્યારે 22 જાન્યુઆરીએ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા. આ ક્ષણને જોઈ અનેક ભક્તોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. અનેક ભક્ત ઈમોશનલ પણ થઈ ગયા હશે. મંદિરમાં ભગવાન બિરાજમાન થયા તે બાદ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ, ભક્તો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. લાખો ભક્તોએ ભગવાન રામ આગળ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા છે. 


એક મહિનાની અંદર લાખો ભક્તોએ કર્યા રામ ભગવાનના દર્શન! 

આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. આ એક મહિનાની અંદર વિવિધ પાર્ટીના નેતાઓ, બોલિવુડ સ્ટાર્સે રામ ભગવાનના દર્શન કર્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ મંત્રી મંડળસાથે રામ લલ્લાના દર્શન કર્યા ઉપરાંત પરિવાર સાથે દર્શન કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ પહોંચ્યા હતા. ભક્તોની વાત કરીએ તો અંદાજીત 60 લાખ શ્રદ્ધાળુઓ મંદિરના દર્શનાર્થે આવ્યા છે. શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 22 જાન્યુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી 60 લાખ ભક્તોએ રામ ભગવાનના દર્શન કર્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ 10 દિવસની અંદર જ અંદાજીત 25 લાખ જેટલા ભક્તોએ રામ મંદિરની મુલાકાત લીધી હતી.      



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.