Uttar Pradeshની જનસભામાં ઉઠ્યો Ram Mandirનો મુદ્દો, PM Modiએ કહ્યું કે જો કોંગ્રેસ- સપા સત્તામાં આવી તો...


  • Published By :
  • Published Date : 2024-05-18 17:15:23

લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ચાર તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે અને બાકીની ત્રણ તબક્કા ચૂંટણી માટે મતદાન થવાનું શેષ છે.. પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.. લોકસભા ચૂંટણી દરમિયાન રામ મંદિરની ચર્ચાઓ તમે સાંભળી હશે.. રાજનેતાઓ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવે છે.. ત્યારે રામ મંદિરનો મુદ્દો પીએમ મોદીએ ઉઠાવ્યો છે. બારાબંકીમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ તેમજ સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.,  

અનેક એવા મુદ્દાઓ જે મતદાતાના માનસ પર અસર કરે છે 

રામ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.. અનેક દાયકાઓ બાદ જ્યારે રામ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થઈ ત્યારે અનેક ભક્તોની આંખોમાંથી હરખના આંસુ આવ્યા હતા.. આ વખતની ચૂંટણીમાં અનેક રાજનેતાઓના મુખેથી રામ મંદિરનો મુદ્દો સાંભળ્યો હશે.. જમાવટે જ્યારે ઈલેક્શન યાત્રા કરી ત્યારે રામ મંદિર અને કલમ 370 જેવા મુદ્દાઓ મતદાતાના માનસ પર અસર કરતા હતા. 



રામ મંદિરને લઈ પીએમ મોદીએ કહ્યું કે 

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે 


કોંગ્રેસ અને સપાએ રામલલ્લાને તંબુમાં રાખ્યા હતા. પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે તેમણે કહ્યું કે મંદિરને બદલે ત્યાં ધર્મશાળા, શાળા કે હોસ્પિટલ બનાવવી જોઈએ. જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે તેમના પેટમાં આવા ઝેર ભરાઈ ગયા હતા, મને ખબર નથી કે તેમને રામ લલ્લા સાથે શું દુશ્મનાવટ હતી કે તેમણે અભિષેકનું આમંત્રણ નકારી કાઢ્યું. ના માત્ર કોંગ્રેસ પર પરંતુ તેમણે સમાજવાદી પાર્ટી પર પણ પ્રહાર કર્યા હતા.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.