રામ જન્મભૂમિ મંદિરની સુરક્ષામાં તૈનાત થશે CISF જવાનો, 22 જાન્યુઆરીએ થશે ઉદઘાટન, 10 દિવસ ચાલશે ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-07-06 17:57:46

અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મ ભૂમિ પરિસરમાં બની રહેલા ભવ્ય રામ મંદિરની સુરક્ષાને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રામલલાના અસ્થાયી મંદિરની સુરક્ષામાં આ સમયે ત્રીસ્તરીય સુરક્ષા ઘેરો છે. જેમાં પોલીસ, પીએસી અને સીઆરપીએફના સુરક્ષા ઘેરાનો સમાવેશ થાય છે. આગામી 11 જાન્યુઆરીના  દિવસે ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે. જો કે CISF જવાનો પણ મંદિરની સુરક્ષા માટે તૈનાત કરાશે તેવી જાણકારી મળી છે. CISFની અન્ટ્રીએ ભારે  ચર્ચા જગાવી છે. 


CISFની આટલી ચર્ચા કેમ?


CISF ઐતિહાસિક ભવનોથી લઈને એરપોર્ટ, મેટ્રો રેલ, તથા અન્ય મોટા સરકારી ઔદ્યોગિક કારખાનાઓની સુરક્ષા પણ કરે છે. CISF આ બાબતે વિશેષજ્ઞતા ધરાવે છે. આ ફોર્સની ટેકનીકને ખુબ જ આધુનિક અને અદ્યતન માનવામાં આવે છે. રામ મંદિરની સુરક્ષામાં મોટા પ્રમાણમાં પરિવર્તન કરવા માટે ગત વર્ષથી  CISF પાસે સિક્યુરીટી ઓડિટ કરાવવામાં આવ્યું હતું. સિક્યોરીટી ઓડિટ બાદ આ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મંદિરની સુરક્ષાની જવાબદારી CISFને મળી શકે છે. 


અયોધ્યામાં 10 દિવસ યોજાશે ભવ્ય કાર્યક્રમ


અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું ઉદઘાટનનું શુભ મુહૂર્ત નક્કી થઈ ચુક્યું છે, આગામી 22 જાન્યુઆરી 2024ની તારીખ તેની શરૂઆત થશે. આ દિવસે ભગવાન રામને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરાશે. આ જ દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેશે. મંદિર કમિટીએ દાવો કર્યો છે આગામી ડિસેમ્બર સુધી પહેલા તબક્કાનું કામ પુરૂ થઈ જશે. આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ અને વિદેશમાંથી લગભગ 5 લાખ લોકો પહોંચવાની સંભાવના છે. આ સમગ્ર કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.