Mahisagarમાં નીકળી જેલવાસ ભોગવી રહેલા Asaramના ફોટા સાથે રેલી! વીડિયોમાં જુઓ એ રેલીના દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-08-12 15:30:31

જેલમાં બંધ આસારામના ફોટા સાથે અનેક વખત રેલીઓ નીકળી હોય તેવા સમાચારો સામે આવતા હોય છે. બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામના અનુયાયીઓએ ફરી એક વખત હદ વટાવી દીધી છે. મહિસાગરમાં આસારામના અનુયાયીઓએ આસારામના ફોટા સાથે વિશાળ રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બેન્ડ બાજા સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અહીંયા પ્રશ્ન એ થાય કે આવી રેલી કાઢવા માટે તેમને પરમિશન કોણે આપી?  

આસારામના ફોટા સાથે મહિસાગરમાં નીકળી મોટી રેલી 

જબરૂં કહેવાયને કે જે જે માણસે દુષ્કર્મ આચર્યો છે, જે જેલમાં પોતાના કૃત્યની સજા ભોગવી રહ્યા છે તેની રેલી કાઢવામાં આવી રહી છે? હવે આ રેલી યોજવા માટે કોણે પરમિશન આપી તે એક મોટો પ્રશ્ન છે. તંત્રએ કેમ રેલીની મંજુરી આપી તે પણ એક સવાલ છે? ગાડી ઉપર ફોટો મૂકી અને રેલી યોજવામાં આવી. મોટી સંખ્યામાં સમર્થકો અને ભકતો જોડાયા .બેન્ડબાજા સાથે રેલી કાઢવામાં આવી હતી. આ લોકોને અંધ ભક્ત કહીએ તો અતિશયોક્તિ ન કેહવાય. જે માણસ અત્યારે જેલમાં બળાત્કારની સજા ભોગવી રહ્યા છે તેની પૂજા કરવામાં, તેમના ફોટા સાથે રેલી કાઢવામાં આવે છે. હજી પણ લોકો તેમની પાછળ ગાંડા છે.  


શાળામાં કરાઈ હતી આસારામની આરતી 

મહીસાગરની આ કોઈ પહેલી ઘટના નથી જ્યાં લોકો આસારામની રેલી કાઢે કે આરતી ઉતારે. આના પહેલા પણ મહિસાગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં આસારામની આરતી કરવામાં આવી રહી હતી મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના જામાપગીના મુવાડા પ્રાથમિક શાળામાં માતૃ- પિતૃ પૂજન કાર્યક્રમમાં દુષ્કર્મના દોષીત આસારામની પૂજા અને આરતી કરવામાં આવે છે. આવા દ્રશ્યો શાળાથી સામે આવતા વિવાદ સર્જાય તે સામાન્ય કહેવાય. શિક્ષકોની હાજરીમાં આસારામના પોસ્ટરની આરતી ઉતારી પૂજા કરાઇ હતી. ત્યારે પણ ગામના લોકો અને વાલીઑ ભડક્યા હતા 

સમાજને આપણે કઈ દિશા તરફ ધકેલી રહ્યા છીએ?

જ્યારે આવી રીતે જાહેરમાં રેલી કાઢવામાં આવે કે શાળામાં પૂજા કરવામાં આવે ત્યારે સવાલ થાય કે બાળકના માનસ પર આની કેવી અસર પડતી હશે? બાળકોના મનમાં એક પ્રશ્ન નહીં ઉઠતો હોય તે એક દોષિતની પૂજા કરી રહ્યા છે? એક દોષિતની કેવી રીતે પૂજા થઈ શકે? જેલમાં જે પોતાના ગુન્હાઓની સજા ભોગવી રહ્યા છે તેમની જાહેરમાં પૂજા થાય? આપણો સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે? એક આરોપીને કોઈ ભગવાન બનાવી કેવી રીતે લોકો તેની પૂજા કી શકે?  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.