રાકેશ અસ્થાનાને એક્સટેન્શન મુદ્દે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી, નિયમોનું પાલન ન થયાનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-12-16 21:36:42

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક અંગે કેન્દ્ર સરકાર અને દેશની સર્વોચ્ચ અદાલત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વચ્ચે સુપ્રીમ કોર્ટે વધુ એક નિર્ણય લીધો છે. રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિમણૂક જે નિર્ણય હેઠળ કરવામાં આવી હતી તેની સમીક્ષા કરવાનો સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે. જો કે, દિલ્હી હાઈકોર્ટ પહેલા જ આવી એક અરજીને ફગાવી ચૂકી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી પર નવેસરથી સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે.


રાકેશ અસ્થાનાને નિવૃતિ પછી એક્સટેન્શન 


રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા જ્યારે તેમની નિવૃત્તિને માત્ર ચાર દિવસ બાકી હતા. જે બાદ ગૃહ મંત્રાલયે તેમને એક વર્ષનું એક્સટેન્શન પણ આપ્યું હતું જોકે, રાકેશ અસ્થાના હાલ નિવૃત છે. પરંતુ સુપ્રીમ કોર્ટ તેમની નિવૃત્તિ પછી પણ તેમની નિમણૂક માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયાને જોવા માટે સંમત થઈ છે. રાકેશ અસ્થાનાની સાથે આ નિર્ણય મોદી સરકાર માટે પણ મુશ્કેલી ઉભી કરનાર છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને પીએસ નરસિમ્હા તેમના કેસની ફરીથી સુનાવણી કરવા સંમત થયા.


પ્રશાંત ભૂષણે ઉઠાવ્યા સવાલો


રાકેશ અસ્થાના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. 27 જુલાઈ 2021ના રોજ તેમને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. આ નિર્ણય જાહેર હિત સાથે સંબંધિત છે તેના આધારે તેમને નિવૃત્તિ આપવામાં આવી હતી. એડવોકેટ પ્રશાંત ભૂષણે તેમની નિમણૂક પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેમની નિમણૂક 27મી જુલાઈએ થઈ છે અને 31મી જુલાઈએ તેમને 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ પ્રકાશ સિંહ એન્ડ અન્ય વિ.માં સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે સુસંગત નથી. પ્રકાશ સિંહે કોઈ પણ રાજ્યના ડીજીપીની નિમણૂક કરતા પહેલા કેટલાક સૂચનો આપ્યા હતા. તેમણે કહ્યું કે આવા વરિષ્ઠ પદ પર નિમણૂક માટે એક પેનલની રચના કરવી જોઈએ. જેમણે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સરકારને ત્રણ નામ મોકલવા જોઈએ. આ પોસ્ટ પર જે અધિકારીની નિમણૂક થવાની છે તેની ઓછામાં ઓછી છ મહિનાની સેવા બાકી હોવી જોઈએ. પ્રશાંત ભૂષણે કહ્યું કે અસ્થાનાના કેસમાં આ બધી બાબતોની અવગણના કરવામાં આવી. જો કે, દિલ્હી હાઈકોર્ટે અસ્થાનાની નિમણૂક અંગેની અરજીને એ આધાર પર ફગાવી દીધી હતી કે આ તમામ માર્ગદર્શિકા ડીજીપીની નિમણૂક માટે છે. જ્યારે અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.