ગુજરાતમાં રાજ્યસભાની 3 સીટો માટે ચૂંટણીની તારીખોની જાહેરાત, 13 જુલાઈએ ભરાશે નામાંકન, 24 જુલાઈએ ચૂંટણી


  • Published By :
  • Published Date : 2023-06-27 19:42:43

ગુજરાતમાં રાજ્યસભાની 3 સીટો માટે યોજાનારી ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યસભાની 3 સીટો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ 06 જુલાઈએ જાહેરનામું બહાર પાડશે. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ માટે 13મી જુલાઈ ચૂંટણી ફોર્મ ભરવાનું રહેશે. 13મી જુલાઈ ચૂંટણી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ ચૂંટણીનું પરિણામ 24 જુલાઈએ સાંજે 5 વાગ્યે જાહેર કરવામાં આવશે. 


વિદેશ પ્રધાન એસ જયશંકર રીપિટ થશે?


ગુજરાતમાંથી વિદેશ પ્રધાન એસ જયશંકર રીપિટ થઈ શકે છે. જ્યારે ગુજરાતની અન્ય 2 બેઠક પર ભાજપ નવા ઉમેદવાર મુકે તેવી શક્યતા છે. જો કે આ વખતે જુગલજી ઠાકોર, દિનેશ અનાવડીયાને ફરી તક મળવાની શક્યતા ઓછી જણાઈ રહી છે, તેમના સ્થાને નવો ચહેરો આવી શકે છે.


ત્રણેય બેઠકો ભાજપ જીતશે


અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત ઉપરાંત ગોવા, પશ્ચિમ બંગાળની રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે. ગુજરાત વિધાનસભામાં ભાજપના 156 ધારાસભ્યોની મજબુત હાજરી જોતા ભાજપના ફાળે રાજ્યસભાની ત્રણેય બેઠકો બિનહરીફ જાય તેવી સંપુર્ણ શક્યતા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.