TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી સસ્પેન્ડ, ચોમાસુ સત્રમાં ભાગ નહીં લઈ શકે


  • Published By :
  • Published Date : 2023-08-08 14:15:44

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ' બ્રાયનને અભદ્ર આચરણ અને અધ્યક્ષની સુચનાની અવહેલના કરવાના કારણે ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સભામાં નક્કી થયેલા અજેન્ડા પર સવાલો પુછાયા બાદ રાજય સભા અધ્યક્ષ જગદીપ ધનખડે મણિપુરની સ્થિતી પર ચર્ચા માટે વિપક્ષી દળો પાસે માગ કરી અને કહ્યું કે આ અજેન્ડામાં હતો પણ ફળિભૂત થયો નથી. 


ડેરેક ઓ બ્રાયને ઉઠાવ્યા સવાલ


ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન ઔચિત્યના પ્રશ્નનો મુદ્દો ઉઠાવવા માટે ઉભા થયા હતા. અધ્યક્ષે તેમને ચેતવ્યા કે તે ઔચિત્યના પ્રશ્ન સિવાય કાંઈક ન બોલે. ટીએમસીના સભ્યએ સ્પષ્ટ રીતે નિયમ 267 હેઠળ ચર્ચા માટે વિપક્ષો દ્વારા આપવામાં આવેલી નોટિસનો ઉલ્લેખ કર્યો હતો. ચેરમેને ડેરેક ઓ બ્રાયનું નામ લઈને તેમને ફરીથી ચેતવ્યા હતા. ત્યાર બાદ પીયૂષ ગોયલે ડેરેક ઓ બ્રાયનને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.  


બ્રાયન સામે અધ્યક્ષનું આકરૂ વલણ!


રાજય સભા અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું ડેરેક ઓ બ્રાયને અભદ્ર આચરણ કરવા અને ચેરની સુચનાની અવગણના કરવા બદલ મોનસુન સત્રથી સસ્પેન્ડ કર્યા છે. તેમણે કહ્યું કે બ્રાયનનો વ્યવહાર નિમ્ન કક્ષાનો હતો. તેમની પોઝિશન જોતા તે ન્યાયસંગત પણ નથી.  તેમણે મર્યાદા તોડી છે અને તે જાણી જોઈને કર્યું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.