જામનગરમાં વધતી ગુનાખોરી અંગે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પક્ષોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2022-11-04 16:27:28

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેર થઈ છે. રાજકીય પાર્ટીઓ પણ તેમના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે ગુજરાતના રાજકીય પક્ષોમાં ગુનેગારોનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં વધી રહેલી ગુનાખોરીથી પણ જાગૃત નાગરિકો ચિંતિત છે. જેમ કે સૌરાષ્ટ્ર કેટલાક શહેરોમાં ગુનાખોરી ખુબ વધી છે, ભૂમાફિયાનો ત્રાસ સૌથી મોટો મુદ્દો છે જામનગર પણ તેમાનું એક શહેર છે. સામાન્ય માણસ તો ઠીક પણ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આ દુષણને લઈ રાજકીય પક્ષોને અપીલ કરી છે.


પરિમલ નથવાણીએ શું કહ્યું?


રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ એક ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટના માધ્યમથી તમામ રાજકીય પક્ષોને જાહેર અપીલ કરી છે કે, જામનગરને ગુનાખોરીમાં હોમે તેવા ઉમેદવારો આપશો નહીં. તેમણે કહ્યું કે નકારાત્મક અને ગુનાખોરી વૃતિ ધરાવતા નેતાઓને કોઈ પણ પક્ષે ટિકિટ આપવી ન જોઈએ. તેમણે જામનગરને શિક્ષિત-સંસ્કારી અને શ્રેષ્ઠ નેતાગીરી મળવી જોઈએ. જેથી જામનગરની શાંતિ-સલામતી-સમૃધ્ધ- વિકાસ આગળ વધે.  


પરિમલ નથવાણીએ શા માટે આ ટ્વીટ કર્યું?


પરિમલ નથવાણીએ ખાસ જામનગરમાં વધેલી ગુનાખોરી પર શા માટે ટ્વિટ કર્યું તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. સ્થાનિક વેપારીઓના કહેવા પ્રમાણે જામનગરમાં ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજાનો બહું ત્રાસ છે.. જો કે ભાજપના ટોચના નેતાઓ સાથે હકુભાને સારા વ્યાપારીક સંબંધો છે અને એટલે જ સ્થાનિક નેતાઓને પણ પોલીસ છાવરી લે છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે હકુભાની લોકપ્રિયતાના કારણે આ ચૂંટણીમાં પણ ભાજપ તેમને જામનગર વિધાનસભા સીટ જામનગર 78 માટે તેમને ટિકિટ આપશે.


જામનગરમાં ગુનાખોરી બેફામ


જામનગરમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા તત્વોની ભરમાર છે. જામનગર શહેરમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલથી લોકો ત્રાસી ગયા હતા. હાલ તે લંડનની એક જેલમાં બધ છે. જયેશ પટેલ પર તો ખૂન, ફાયરિંગ, ખોટી રીતે જમીન પડાવી પાડવાના ગુનાઓ, કાવતરાં, પુરાવાઓનો નાશ કરવો અને સરકારી જાહેરનામાના ભંગના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તે ઉપરાંત વશરામ આહીર, કુખ્યાત જાડેજા બંધુઓ યશપાલ અને જયપાલસિંહ જાડેજા, નિલેશ ટોલીયા, અતુલ ભંડેરી, રમેશ માનસતા, મુકેશ અભંગી, સુનિલ ચાંગાણી, મહેશ છૈયાનો સમાવેશ થાય છે.


હકુભા જેવા નેતાઓ રાજકીય પક્ષોની મજબુરી છે?


રાજકારણમાં મની અને મશલ્સ પાવરની જોર વધુ ગયું છે. સામાન્ય માણસ માટે ચૂંટણી લડવી અને જીતવી લોઢાવા ચણા ચાવવા જેવી બાબત બની ગઈ છે. લોકો ધાકધમકીથી પણ મત આપતા હોય છે. જેમ કે જામનગરમાં હકુભા જાડેજા, કુતિયાણા કાંધલ જાડેજા, પંચમહાલમાં પ્રભાતસિંહ, ચૌહાણ અને જેઠા ભરવાડ, વાઘોડિયાના ધારા સભ્ય મધુ શ્રીવાસ્તવ સહિતાના નેતાઓ તેમના મસલ્સ પાવરના કારણે ચૂંટણી જીતી જાય છે. રાજકીય પક્ષોને તો નંબરથી મતલબ હોય છે. વિધાનસભામાં જેટલા ધારાસભ્યો વધુ તેટલો પક્ષોને ફાયદો થતો હોય છે. પક્ષો પણ એટલા માટે જ ગુનાખોરીનો ઈતિહાસ ધરાવતા તત્વોને ટિકિટ આપે છે.



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.