રાજ્યસભા સાંસદ Parimal Nathwaniએ PM Modiને આપી Call of the Gir પુસ્તકની પ્રથમ નકલ..


  • Published By :
  • Published Date : 2024-08-01 14:47:06

ગીરનું નામ સાંભળીએ એટલે આપણા દિમાગમાં સૌથી પહેલા વિચાર આવે સિંહનો, ગીરના જંગલોનો, ત્યાંના દ્રશ્યોનો.. ગીરને યાદ કરતા જ રોમે રોમમાં રોમાંચ ઉભો થઈ જાય.. આંખો બંધ કરતાં જ ત્યાંની સુંદર દુનિયામાં પહોંચી જઈએ.. ત્યાં પ્રાકૃતિક સુંદરતા તો છે પરંતુ ત્યાંના હાવજ જોવાની અલગ જ મજા છે.. ગીરના સાવજો તો ગુજરાતનું ઘરેણું કહેવાય. 

પીએમ મોદીને "કોલ ઓફ ધ ગીર"ની ભેટ આપી 

ગીરના સાવજની વાત એટલા માટે કરવી છે કારણ કે ગઈકાલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પોતાના નવા પુસ્તક "કોલ ઓફ ધ ગીર"ની પ્રથમ નકલ PM Modiને ભેટ આપી છે. પીએમ Modiએ પરિમલ નથવાણી સાથે ગીર અને ગીરના સિંહો વિશે અને બુક વિશે વાતો કરી હતી....“કોલ ઓફ ધ ગીર" પુસ્તકએ પરિમલ નથવાણીની કોફી-ટેબલ બુક છે. પીએમ મોદીએ આ પુસ્તકનું વિમોચન કર્યું છે. 



પરિમલ નથવાણીએ માન્યો પીએમ મોદીનો આભાર 

ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિંગનોગ દ્વારા તેનું પ્રકાશન કરાયું છે. જોકે 2017માં, પરિમલ નથવાણીએ પુસ્તક ગીર લાયન્સ પ્રાઈડ ઓફ ગુજરાત લખ્યું હતું. પરિમલ નથવાણીએ વડાપ્રધાનનો આ પુસ્તકના આદરપૂર્વક સ્વીકાર કરવા બદલ આભાર માન્યો. તેમણે કહ્યું હતું કે, “મારા માટે એ અત્યંત ગર્વની વાત છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ પુસ્તકને ધીરજપૂર્વક નિહાળ્યું છે.અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અને હાલ તેઓ ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ તેમણે ગીર, ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે ઘણું કામ કર્યું છે."    




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.