Rajya Sabha Election: રાજ્યસભા માટે BJPએ ઉમેદવારોની કરી જાહેરાત, આ જૂના જોગીઓના પત્તા કપાયા


  • Published By :
  • Published Date : 2024-02-14 15:36:18

ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.  પાર્ટીએ ગુજરાત, ઓડિસા, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી રાજ્યસભા માટે તેમના ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. ભાજપે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને એક દિવસ પહેલા જ પાર્ટીમાં સામેલ થયેલા અશોક ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા છે. તે જ ઉપરાંત ઓડિસાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી એલ મુરૂગનને મધ્ય પ્રદેશથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. વૈષ્ણવ અને મુરૂગન ચૂંટણી જીતી જાય છે તો રાજ્યસભામાં આ તેમનો બીજો કાર્યકાળ હશે અને બંનેની જીતવાની સંભાવના વધુ છે. ઉલ્લેખનિય છે કે રાજ્યસભાની 56 સીટો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે અને નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. 


આ મંત્રીઓને BJP લોકસભામાં ઉતારશે 


ભાજપે આ વખતે અપવાદોને બાદ કરતા નો રિપીટ થીયરી અપનાવી છે. જેમ કે પાર્ટીએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજીવ ચન્દ્રશેખર, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, પુરૂશોત્તમ રૂપાલા, અને નારાયણ રાણે (મહારાષ્ટ્ર)નો કાર્યકાળ પૂરો થયો છે  તેમ છતાં તેમને ઉમેદવાર બનાવ્યા નથી. પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ નેતાઓને પાર્ટી આ લોકસભા ચૂંટણીમાં ઉતારવા માગે છે. તમામ નેતાઓને લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરવાનું પણ કહીં દીધું છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.