Rajya Sabha Election: રાજ્યસભા માટે BJPએ ઉમેદવારોની કરી જાહેરાત, આ જૂના જોગીઓના પત્તા કપાયા


  • Published By :
  • Published Date : 2024-02-14 15:36:18

ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.  પાર્ટીએ ગુજરાત, ઓડિસા, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી રાજ્યસભા માટે તેમના ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. ભાજપે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને એક દિવસ પહેલા જ પાર્ટીમાં સામેલ થયેલા અશોક ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા છે. તે જ ઉપરાંત ઓડિસાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી એલ મુરૂગનને મધ્ય પ્રદેશથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. વૈષ્ણવ અને મુરૂગન ચૂંટણી જીતી જાય છે તો રાજ્યસભામાં આ તેમનો બીજો કાર્યકાળ હશે અને બંનેની જીતવાની સંભાવના વધુ છે. ઉલ્લેખનિય છે કે રાજ્યસભાની 56 સીટો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે અને નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. 


આ મંત્રીઓને BJP લોકસભામાં ઉતારશે 


ભાજપે આ વખતે અપવાદોને બાદ કરતા નો રિપીટ થીયરી અપનાવી છે. જેમ કે પાર્ટીએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજીવ ચન્દ્રશેખર, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, પુરૂશોત્તમ રૂપાલા, અને નારાયણ રાણે (મહારાષ્ટ્ર)નો કાર્યકાળ પૂરો થયો છે  તેમ છતાં તેમને ઉમેદવાર બનાવ્યા નથી. પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ નેતાઓને પાર્ટી આ લોકસભા ચૂંટણીમાં ઉતારવા માગે છે. તમામ નેતાઓને લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરવાનું પણ કહીં દીધું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે