Rajula : આર્મીમાં ફરજ બજાવતા રવિરાજનું ફરજ દરમિયાન નિપજ્યું મોત, અંતિમ યાત્રામાં જોડાયું આખું ગામ, સર્જાયા ભાવુક દ્રશ્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-18 16:38:49

આપણે આપણા ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ કારણ કે આપણા દેશના સરહદની રક્ષા વીર જવાનો કરી રહ્યા છે. દેશની સેવા માટે લોકો તત્પર હોય છે.. પરંતુ ફરજ દરમિયાન અનેક વીર જવાનો શહીદ થઈ જતા હોય છે અને શહાદત પામતા હોય છે.. જ્યારે વીર જવાનનો નશ્વર દેહ માદરે વતન આવે છે ત્યારે તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે. અમરેલીના વીર પુત્ર રવિરાજ ધાખડાનું મોત ફરજ દરમિયાન થઈ ગયું..

માતા પિતાએ ગુમાવ્યો એકનો એક દીકરો    

રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર.. ભગવાને 4 દીકરીઓ અને 1 દીકરો આપ્યો. મોટો થયો તો આર્મીમાં જવાનું સપનું અને દેશ માટે કઈક કરી બતાવવાનો જુસ્સો અને પછી રવિરાજભાઈએ પોતાનું સપનું પૂરૂ કર્યું વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. અને અચાનક ચાલુ ફરજ દરમ્યાન બ્લડ કેન્સર થવાના કારણે દિલ્હી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. અને ઘરે સમાચાર આવ્યા કે તેમનો દીકરો મૃત્યુ પામ્યો. 



નશ્વર દેહ જ્યારે માદરે વતન પહોંચ્યો ત્યારે... 

જ્યારે પાર્થિવ દેહને વતનમાં લાવવામાં આવ્યો ત્યારે આખું ગામ હિબકે ચડ્યું તેમનો પાર્થિવ દેહ રાજુલા શહેરમાં પહોચતા રાજુલાના સમગ્ર વેપારીઓ સહિત લોકોએ શહેર 2 કલાક સજ્જડ બંધ પાળી વિરને શ્રધાંજલિ આપવા માટે દેશભક્તો ઉમટી પડ્યા હતા. કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવતો યુવાન હોવાને કારણે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો સાથે તમામ જ્ઞાતિના અગ્રણીઓ વેપારીઓ વિવિધ સંસ્થાના લોકો અંતિમ યાત્રામાં જોડાયા અને હજારોની સંખ્યામાં લોકો અંતિમ સંસ્કાર માટે આવ્યા...


ગાર્ડ ઓફ ઓનર આપીને વીરને કરાયા સન્માનિત

પહેલી વાર રાજુલા શહેરના બાળકોથી લઈ વૃદ્ધ સુધીના લોકો વીર જવાનના પાર્થિવદેહના અંતિમ દર્શન કરી સન્માન આપતા જોવા મળ્યા હતા. ધારાનાનેસ ગામમાં પહોંચી ભારતીય સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સૌથી કરૂણ વાત તો એ હતી કે  આ વર્ષે જ ભાઈ બહેનના લગ્ન થવાના હતા પણ  તે પહેલાં જ શહીદી વ્હોરી છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.