રાજકોટમાં 32 વર્ષીય પરીણિતાએ ઝેરી દવા પી મોતને વ્હાલું કર્યું, આત્મહત્યા પૂર્વે વીડિયો બનાવ્યો


  • Published By :
  • Published Date : 2023-06-25 12:55:20

રાજકોટ શહેરમાં એક 32 વર્ષીય પરીણિતાએ પતિના ત્રાસથી મોતને વ્હાલું કર્યું છે. શહેરમાં અલકાબેન પરમારે ઝેરી દવા પી આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે. આ સમગ્ર મામલે મૃતક અલકાબેનના નાના ભાઈ નયનભાઈ ચૌહાણ દ્વારા માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે પતિ જસ્મીનભાઈ પરમાર, સસરા રમેશભાઈ પરમાર, સાસુ સરોજબેન પરમાર તેમજ મરણ જનારના પતિ જસ્મીનભાઇ પરમારની પ્રેમિકા પાયલ બહેન વિરુદ્ધ IPCની કલમ 306, 498 (એ) તેમજ 114 મુજબ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. મૃતક મહિલાએ આત્મહત્યા પહેલા વીડિયો બનાવી પતિ સામે અનેક ફરિયાદો કરી છે.  


સાસરીયોઓના મહેણા ટોળાએ લીધો જીવ


નયનભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, બહેન અલકાના લગ્ન 11 વર્ષ પૂર્વે જસ્મીનભાઈ પરમાર નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને હાલ નવ વર્ષની તન્વી નામની દીકરી છે. એક વર્ષ પૂર્વે મારા બહેને ગર્ભાશયની કોથળીમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવ્યું હતું. જેના કારણે ઓપરેશન દરમિયાન ગર્ભાશય કઢાવી નાખવામાં આવેલ હતી. જેથી તેના પતિ જસ્મીન ભાઈને વંશ આગળ વધારવા સંતાનમાં દીકરો ન હોવાથી મારી બહેનને તેમના પતિ સાસુ સસરા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત તેવો પણ આક્ષેપ લગાવ્યો છે કે, જસ્મીનને તેની પાડોશમાં રહેતી પાયલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે.


વીડિયોમાં શું કહ્યું?


મૃતક અલકા બેનના ભાઈ નયનભાઈ ચૌહાણે જણાવ્યુ હતું કે, મૃત્યુ બાદ મારી બહેનનો ફોન ચેક કરતા તેમાં બે વીડિયો જોવા મળ્યા હતા. એક વીડિયોમાં મારી બહેન બોલે છે કે, જસ્મીન જતી રહે જતી રહે એવુ કરે છે પરંતુ મારે ક્યાં જવું? અલકાબેને આત્મહત્યા    જસ્મીનને નથી જોઇતી એટલે હું આ પગલું ભરું છું. જસ્મીન એમ કહે છે કે, મારે તું જોઇતી જ નથી, તું શું કામ આવી? એટલે હું દવા પીને મરી જાવ છું. બધા થઇને મારી છોકરીને સંભાળી લેજો. મૃતકે એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેનો ફોટો પણ તેમના મોબાઇલમાંથી મળી આવ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.