રાજકોટમાં 36 વર્ષીય મહિલાનું જન્મદિને જ હાર્ટએટેકથી મોત, બે દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી


  • Published By :
  • Published Date : 2023-07-28 15:24:19

રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુઆંકમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેમાં પણ નાની ઉંમરના યુવક-યુવતીઓ મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ હાર્ટએટેકથી મૃત્યુઆંકમાં જે ઉછાળો જોવા મળ્યો છે તે બાબત સામાન્ય લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ થયું છે. 36 વર્ષીય પિરણીતાને તેના જન્મદિને જ હાર્ટએટેક આવ્યો હતો. હૃદયના હુમલા બાદ મોત થતા મહિલાના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. 


36મા જન્મદિવસે જ મોત


રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રહેતી અને સૌરાષ્ટ્રના ખ્યાત નામ ડીજે ધર્મેશ ઉર્ફે ડીજે અકી રાઠોડના પત્ની નિશિતા રાઠોડ પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યાં હતાં. ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી અને બેભાન થઇ ગયા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતું સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ નિપજ્યું છે. દુખની ઘડી તો એ છે કે, નિશિતાબેનનો 36 મો જન્મદિવસ હતો, પરિણીતાના અચાનક નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.  


પોસ્ટમોર્ટમમાં થયો મોટો ખુલાસો


નિશિતાબેનના મોત અંગે પોલીસને જાણ થતા મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પીએમ રિપોર્ટમાં પરિણીતાની ગર્ભાશયની કોથળી ફાટી જતા તેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર મૃતક પરિણીતાને સંતાનમાં બાર વરસ અને સાત વર્ષની બે પુત્રી છે. ત્યારે નાની ઉંમરમાં જ બંને દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.