Rajkot : જ્યારે GameZoneમાં આગ લાગી ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા? આ ચા વાળાએ કરી લોકોની મદદ, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-28 13:41:13

ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે આપણે માનવતાને નેવે મૂકી દીધી છે.. અનેક વખત અમે પણ આ વાક્ય કહેતા હોઈએ છીએ પરંતુ અનેક લોકો એવા હોય છે માનવતાને મહેકાવે છે.. રાજકોટમાં બનેલી દુર્ઘટનાને પગલે શોક વ્યાપી ઉઠ્યો છે..27 જેટલી જિંદગી આગમાં હોમાઈ ગઈ છે.. જે લોકોના મોત આ દુર્ઘટનામાં થયા છે તેમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા જેમાં બીજાની મદદ કરવામાં વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હોય.. ત્યારે ગેમ ઝોનની આસપાસ એક ચાની લારી ચલાવતા વ્યક્તિ મદદ માટે દોડી આવ્યા અને તેમનાથી બનતો તેમણે પ્રયત્ન કર્યો..

જી સુધી પરિવારજનો શોધી રહ્યા છે પોતાના વ્હાલસોયાને 

આપણે જ્યારે 46 ડિગ્રી ગરમીમાં બહાર નીકળીએ છીએ ત્યારે એમ થાય કે કેટલી ભયંકર ગરમી છે પરંતુ ગેમઝોનમાં મૃત્યુ પામેલા લોકો વિશે વિચાર્યું આપણે કે તેમની મોત કેવી પરિસ્થિતિમાં થઈ હશે? કેટલી ગરમી હશે જે જગ્યા પર જ્યારે આ ઘટના બની હશે.. આગમાં 27 જેટલા લોકોના મોત થયા છે અનેક મૃતકોનો મૃતદેહ પરિવારને મળ્યો છે પરંતુ અનેક એવા પરિવાર છે તે પોતાના વ્હાલસોયાની શોધમાં છે.. 


ચા વાળાએ લંબાવ્યો મદદનો હાથ 

જ્યારે આ ઘટના બની ત્યારે અનેક પ્રત્યક્ષદર્શીઓ હતા. ઘટના કેવી રીતે બની તે અંગે થોડી વાત તેમણે કરી.. અનેક લોકોએ કરી.. આગને બૂઝવવા માટે પ્રયત્નો પણ કરાયા પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેની પર કાબુ મેળવવો અશક્ય બન્યો.. લોકોને બચાવવા માટે અનેક લોકો આગળ આવ્યા ત્યારે ત્યાં ચાની લારી ચલાવવતા વ્યક્તિએ પણ યથાશક્તિ લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો.. જમાવટની ટીમે તેમની સાથે વાત કરી અને જ્યારે દુર્ઘટના બની ત્યારે કેવો માહોલ હતો તે જણાવ્યું.. 


કેવો હતો માહોલ? 

વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે તેમણે તો અંદર રહેલા લોકોનો અવાજ તો સાંભળ્યો જ હશે પરંતુ તેમણે જે વાત કરી તે આશ્ચર્યવાળી હતી. ધૂમાડો એટલો હતો કે અવાજ પણ બહાર આવતો ન હતો તેવી વાત તેમણે કરી.. ધૂમાડાને કારણે પણ લોકો મૃત્યુ પામ્યા હોય તેવી વાત તેમણે કરી હતી.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.