Rajkot TRP GameZone આગકાંડ મુદ્દે હૉસ્પિટલમાં સ્વજન ગુમાવનાર પરિજનોની હવે ધીરજ ખુટી...


  • Published By :
  • Published Date : 2024-05-28 12:17:20

રાજકોટમાં શનિવારે બનેલી દુર્ઘટના જેમાં 27 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાને આપણે ધીમે ધીમે ભૂલી જઈશું કદાચ.. પરંતુ તે પરિવાર કદી પણ આ દિવસને આ ઘટનાને નહીં ભૂલી શકે જેમણે આ ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે.. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની હાલત એવી થઈ ગઈ છે કે તેમની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.. પોતાના સ્વજનનો મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે. અનેક પરિવારના સભ્યોને મૃતદેહ મળી ગયા છે પરંતુ અનેક પરિવાર એવા છે જે મૃતદેહોની રાહ જોઈ રહ્યા છે.. 

પરિવાર જનોની હવે ધીરજ ખૂટી છે... 

રાજકોટથી અનેક એવા ભાવુક કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે પરિવારને પોતાના સ્વજનોનો મૃતદેહ મળી ગયો ત્યાં હૈયાફાટ રૂદન જોવા મળ્યું છે અને જે પરિવારને નથી મળ્યો મૃતદેહ તેમની આંખો પોતાના સ્વજનોને શોધી રહી છે..  શનિવાર, રવિવાર અને હવે આજે સોમવાર.,.. પરિવારજનો રાહ જોઈ રહ્યાં છે.. કે હવે કોઈ ઓળખ થાય તો અમે મૃતદેહને ઘરે લઈ જઈએ... અધિકારીઓ અને સિસ્ટમ તરફથી જવાબ નથી મળી રહ્યો... લોકો અકળાય રહ્યાં છે... હવે ધીરજ ખુટી રહી છે.... 



જેમની પર વિતી હોય તે જ જાણી શકે... 

પરિવારજનોએ હાજર અધિકારીઓ સામે પોતાની વ્યથા ઠાલવી છે.... જેના ઘરના પાંચ-પાંચ લોકો મળતા ન હોય એ કેવી રીતે ધીરજ રાખી શકે.... અધિકારીઓને પરિવારજનો વિનંતી કરી રહ્યા હોય કે આખું શરીર નહીં પરંતુ થોડો અંશ તો આપો...! ડીએનએનો રિપોર્ટ આવતા વાર થઈ રહી છે.. એ પરિવાર પર શું વિતતી હશે, તેમની પીડા આપણે કદાચ નહીં અનુભવી શકીએ... મૃતકોના પરિવાર સાથે જમાવટની ટીમે વાત કરી હતી ત્યારે દુ:ખની સાથે સાથે આક્રોશ પણ છલકાઈ આવતો હતો.. તેમની પીડા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી..  


ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે પરિવારજન! 

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત બાદ પરિવારજનો પોતાના સ્વજનોને શોધવા માટે પહોંચ્યા હતા.... પરિવારજનોએ મિસિંગ લોકો માટે તંત્રને આજીજી કરી હતી અને અત્યાર સુધીમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માંગ કરી હતી.... રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો ગુમ થયેલા લોકોને શોધવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે રકઝક પણ થઇ હતી. પરિવારજનો પોતાના સ્વજનની માંગણી કરી રહ્યાં છે. 



અધિકારીઓએ હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોને સાંત્વના આપી..... 

પરિવારજને અધિકારીને રજૂઆત કરતા કહ્યું કે, 'સાહેબ કાં તો હાં પાડો કે ના પાડો,જીવે છે કે નથી જીવતો તેનો કોઇ રિપોર્ટ આપો'. અધિકારીએ કહ્યું કે, આ ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. પરિવારજનોએ કહ્યું કે, તમે ઉપર રજૂઆત કરો કે પીડિતો આંકડો માંગે છે, તમે અમને મિસિંગ થયેલા લોકોનો આંકડો આપો." સ્વજન ગૂમાવનાર પરિજનો પૂછે છે સાહેબ, જો તમારો દિકરો હોત તો શું થાત.. અધિકારી કહે છે દુઃખ સમજી શકું છું...        



પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .