Rajkot TRP Game Zone : ન્યાયની માગ સાથે Bansakanthaના સાંસદ Geniben Thakor ઉતર્યા રાજકોટના રસ્તા પર, પ્રહાર કરતા કહ્યું કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-15 13:00:27

રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં અનેક જિંદગીઓ હોમાઈ ગઈ હતી. ગેમ રમવા માટે આવેલા લોકોની જિંદગી સાથે રમત રમાઈ ગઈ.. આ દુર્ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે પરંતુ તેની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકોટ દુર્ઘટનાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પણ રાજકોટમાં પીડિત પરિવારને ન્યાય મળે તે માટે મેદાને છે. રાજકોટના રસ્તા પર આજે વિપક્ષ દેખાઈ રહ્યો છે.

વિરોધ કરવા માટે વિપક્ષના નેતાઓ રસ્તા પર  

રાજકોટ અગ્નિકાંડને લઈ વિપક્ષ લડી લેવાના મૂડમાં છે. પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ રસ્તા પર છે. કોંગ્રેસના નેતાઓ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાજકોટના રસ્તા પર ન્યાયની આશા સાથે ઉતર્યા છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા, પાલ આંબલિયા, જેની ઠુમ્મર સહિતના નેતાઓ ન્યાય માટે રસ્તા પર ઉતર્યા છે. એસઆઈટીની કામગીરીને લઈ તેમને સવાલો કર્યા છે. જમાવટની ટીમ ગ્રાઉન્ડ પર ગઈ છે અને ત્યાં હાજર નેતાઓને સવાલ કર્યા છે.   


બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે... 

વિરોધમાં આવેલા ગેનીબેન ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે જે ઘટનાઓ બની છે તે દુ:ખદ ઘટના બની છે. આપણે ત્યાં આવા અનેક કાંડો થયા, જ્યારે જ્યારે કાંડો થયા ત્યારે સરકારે SITની રચનાઓ કરવાની વાતો કરી, પણ આજ સુધી કોઈ ગુન્હેગારોને પકડ્યા નથી, જેલમાં પૂર્યા નથી.. અને એટલા માટે આવી પ્રવૃત્તિ કરવા વાળા લોકોની શાન ઠેકાણે આવતી નથી. એક પણ એવો દાખલો નથી કે કાયદેસરની કાર્યવાહી કરીને જે લોકોને અન્યાય થયો હોય અને ન્યાય મળ્યો હોય.. એટલે સરકાર પાસે અપેક્ષા રાખીએ, અથવા એ લોકોની રહેમ નજર છે એટલે નિર્દોષ લોકોના જીવ જાય તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં ગણાવજો.. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.