રાજકોટ કરૂણાંતિકા: સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અંજલી ગીત - જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-26 12:32:06

સામાન્ય રીતે સાહિત્યના સમીપમાં અમે સાહિત્યની રચનાઓ પ્રસ્તુત કરતા હોઈએ છીએ. પરંતુ આજે અંજલી ગીત રજૂ કરવું છે. રાજકોટમાં જે કરૂણાંતિકા સર્જાઈ જેમાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા તેમની આત્માને શાંતિ મળે તેવી અપેક્ષા સાથે..! 



હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ

શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ

જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.


વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે

ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે

લખચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.


સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દઈ વારસો

જનમોજનમ સત્સંગથી કિરતાર પાર ઉતારજો

આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગરગ વ્યાપજો

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.


મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી

ઘો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી

સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.




29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.