Rajkot : આડા સંબંધોની આશંકાના આધારે પતિએ કરી પત્નીની હત્યા, મૃતદેહ આગળ વીડિયો બનાવ્યો અને પોલીસને કહ્યું કે મારે...


  • Published By :
  • Published Date : 2024-02-27 14:48:02

પત્ની પતિની વચ્ચે અનેક વખત સામાન્ય બાબતને લઈ ઝઘડો થતો હોય છે. વાત નાની હોય છે પરંતુ તેને કારણે કોઈ વખત એવી મોટી ઘટનાને લોકો અંજામ આપી દેતા હોય છે જેની કલ્પના પણ ના કરી શકાય. રાજકોટમાં એક હત્યાનો મામલો આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરની અંબિકા ટાઉનશીપ શેરી નંબર 3માં આવેલા શાંતિ નિવાસ નામના એપાર્ટમેન્ટની બી વીંગમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. એવી માહિતી સામે આવી છે કે પતિને પત્ની પર શંકા હતી કે તેનું લફળું ક્યાંય બીજે ચાલી રહ્યું છે.અને તેના આધારે તેણે પત્નીની હત્યા કરી નાખી, પત્નીની લાશ પાસે બેસી પતિએ વીડિયો પણ બનાવ્યો અને તેને વાયરલ પણ કર્યો. 

News18 Gujarati

પથ્થરના મદદથી પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ!

લોકોની માનસિકતા કઈ બાજુ જઈ રહી છે તે જાણી શકાતું નથી કારણ કે નાની નાની વાતમાં લોકો એટલું મોટું કદમ ઉઠાવી લેતા હોય છે. ત્યારે રાજકોટ શહેરથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પતિએ પહેલા પત્નીની હત્યા કરી અને પત્નીની લાશ આગળ બેસી પતિએ વીડિયો બનાવ્યો અને પછી તે બાદ તેને વાયરલ કર્યો. મળતી માહિતી અનુસાર શહેરની અંબિકા ટાઉનશીપ શેરી નંબર 3માં આવેલા શાંતિ નિવાસ નામના એપાર્ટમેન્ટની બી વીંગમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. પતિએ પહેલા પત્નીના માથા પર પથ્થરના બ્લોક માર્યા અને તેને મારી નાખી. પત્નીની બેહરહેમીથી હત્યા કર્યા બાદ પતિએ પત્નીની લાશ આગળ બેસી વીડિયો બનાવ્યો અને તેને વાયરલ કર્યો,

News18 Gujarati

પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને કહ્યું કે... 

તે ઉપરાંત પોલીસ સમક્ષ જાતે સરેન્ડર કર્યું હોય તેવી માહિતી સામે આવી છે. પત્નીની હત્યા કર્યાના કલાકો બાદ પતિએ પોતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને તેણે પોતાની પત્નીની હત્યા કરી નાખી છે તેવી જાણકારી આપી. સાથે જ કહ્યું કે તે પોતે આત્મસમર્પણ કરવા માંગે છે. આ કેસને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. હત્યા કર્યા બાદ તેણે કહ્યું કે હું ખરાબ નથી પરંતુ મારી ઘરવાળી ખરાબ હતી. મને મુકીને બીજી જગ્યાએ જતીતી. મારા ભાઇબંધ સાથે આવું કર્યુ છે. મારી ઘરવાળીએ મને દગો કર્યો છે.'

News18 Gujarati

લોકોની ઓછી થઈ ગઈ છે સહનશક્તિ!

મહત્વનું છે પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા સ્વાભાવિક છે પરંતુ આજકાલ લોકોની સહનશક્તિ પણ એકદમ ઓછી થઈ ગઈ છે તેવું લાગે છે. હત્યા કર્યા બાદ પણ લોકોને કોઈ પણ અફસોસ હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. આપણે સમાજને કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છે તે જોવાનું રહ્યું. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!