Rajkot : આડા સંબંધોની આશંકાના આધારે પતિએ કરી પત્નીની હત્યા, મૃતદેહ આગળ વીડિયો બનાવ્યો અને પોલીસને કહ્યું કે મારે...


  • Published By :
  • Published Date : 2024-02-27 14:48:02

પત્ની પતિની વચ્ચે અનેક વખત સામાન્ય બાબતને લઈ ઝઘડો થતો હોય છે. વાત નાની હોય છે પરંતુ તેને કારણે કોઈ વખત એવી મોટી ઘટનાને લોકો અંજામ આપી દેતા હોય છે જેની કલ્પના પણ ના કરી શકાય. રાજકોટમાં એક હત્યાનો મામલો આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરની અંબિકા ટાઉનશીપ શેરી નંબર 3માં આવેલા શાંતિ નિવાસ નામના એપાર્ટમેન્ટની બી વીંગમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. એવી માહિતી સામે આવી છે કે પતિને પત્ની પર શંકા હતી કે તેનું લફળું ક્યાંય બીજે ચાલી રહ્યું છે.અને તેના આધારે તેણે પત્નીની હત્યા કરી નાખી, પત્નીની લાશ પાસે બેસી પતિએ વીડિયો પણ બનાવ્યો અને તેને વાયરલ પણ કર્યો. 

News18 Gujarati

પથ્થરના મદદથી પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ!

લોકોની માનસિકતા કઈ બાજુ જઈ રહી છે તે જાણી શકાતું નથી કારણ કે નાની નાની વાતમાં લોકો એટલું મોટું કદમ ઉઠાવી લેતા હોય છે. ત્યારે રાજકોટ શહેરથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પતિએ પહેલા પત્નીની હત્યા કરી અને પત્નીની લાશ આગળ બેસી પતિએ વીડિયો બનાવ્યો અને પછી તે બાદ તેને વાયરલ કર્યો. મળતી માહિતી અનુસાર શહેરની અંબિકા ટાઉનશીપ શેરી નંબર 3માં આવેલા શાંતિ નિવાસ નામના એપાર્ટમેન્ટની બી વીંગમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. પતિએ પહેલા પત્નીના માથા પર પથ્થરના બ્લોક માર્યા અને તેને મારી નાખી. પત્નીની બેહરહેમીથી હત્યા કર્યા બાદ પતિએ પત્નીની લાશ આગળ બેસી વીડિયો બનાવ્યો અને તેને વાયરલ કર્યો,

News18 Gujarati

પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને કહ્યું કે... 

તે ઉપરાંત પોલીસ સમક્ષ જાતે સરેન્ડર કર્યું હોય તેવી માહિતી સામે આવી છે. પત્નીની હત્યા કર્યાના કલાકો બાદ પતિએ પોતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને તેણે પોતાની પત્નીની હત્યા કરી નાખી છે તેવી જાણકારી આપી. સાથે જ કહ્યું કે તે પોતે આત્મસમર્પણ કરવા માંગે છે. આ કેસને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. હત્યા કર્યા બાદ તેણે કહ્યું કે હું ખરાબ નથી પરંતુ મારી ઘરવાળી ખરાબ હતી. મને મુકીને બીજી જગ્યાએ જતીતી. મારા ભાઇબંધ સાથે આવું કર્યુ છે. મારી ઘરવાળીએ મને દગો કર્યો છે.'

News18 Gujarati

લોકોની ઓછી થઈ ગઈ છે સહનશક્તિ!

મહત્વનું છે પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા સ્વાભાવિક છે પરંતુ આજકાલ લોકોની સહનશક્તિ પણ એકદમ ઓછી થઈ ગઈ છે તેવું લાગે છે. હત્યા કર્યા બાદ પણ લોકોને કોઈ પણ અફસોસ હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. આપણે સમાજને કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છે તે જોવાનું રહ્યું. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે