રાજકોટની વિદ્યાર્થિનીએ કોલેજમાં એડમિશન માટે કર્યો રઝળપાટ, અંતે હતાશામાં જિંદગી ટુંકાવી


  • Published By :
  • Published Date : 2023-08-08 17:20:45

આજની યુવા પેઢીમાં નજીવી બાબતે આત્મહત્યા કરવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાજકોટમાં એક વિદ્યાર્થિનીએ કોલેજમાં એડમિશન ના મળતા ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી ફેલાઈ હતી. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની ધોરણ 12ની પૂરક પરીક્ષા ઉર્તીણ કર્યા બાદ કોલેજમાં પ્રવેશ માટે પ્રયાસો કરી રહી હતી. યુવતિ છેલ્લાં ચાર દિવસથી જુદી જુદી કોલેજોમાં એડમિશન માટે જતી હોય પણ એડમિશન ન મળતા હતાશામાં આવી પગલું ભરી લીધાનું પરિવારે જણાવ્યું છે. આ અંગે તેણીએ એક સ્યુસાઇડ નોટ પણ લખી છે. વિદ્યાર્થિનીએ મોતને વ્હાલું કરતા પરિવારજનો પર જાણે આસમાન તુટી પડ્યું છે, પરિવારના તમામ સભ્યો શોકગ્રસ્ત બન્યાછે. 


શું હતી સમગ્ર ઘટના?


બનાવની વિગત મુજબ, પ્રાર્થનાએ ધો.12નો અભ્યાસ પૂર્ણ કરી કોલેજમાં એડમિશન લેવા પ્રયત્ન ચાલુ કર્યા હતા. તેની ચારેક દિવસમાં જુદી જુદી કોલેજે તેના પિતા સાથે ગઈ હતી. બેએક દિવસ પહેલા કોટેચા ચોક પાસે આવેલી માતૃશ્રી વીરબાઈમા મહિલા કોલેજમાં ગયા હતા. પ્રાર્થનાને બી.કોમ. ઈંગ્લીશમાં એડમિશન લેવું હતું. એમ.વી.એમ. કોલેજમાં 10 હજાર ફી એક સાથે ભરવા કહેવાયું હતું. જેથી આજે સવારે પ્રાર્થના અને તેના પિતા ત્યાં કોલેજે જવાના હતા. સવારે 8.30 વાગ્યે પ્રાર્થના, તેના પિતા વિપુલભાઈ, માતા ચેતનાબેન, તેનો નાનો ભાઈ સ્મિત બધા ઘરે હતા. પ્રાર્થના કપડાં બદલાવ જવાનું કહીં રૂમમાં ગઈ હતી. ઘણો સમય થયા બાદ પણ તે બહાર ન આવતા દરવાજો ખખડાવતા ન ખોલતા આસપાસના લોકો પણ દોડી આવેલા દરવાજો તોડી અંદર જોતા પ્રાર્થનાએ પંખામાં ચૂંદડી બધી ગળાફાંસો ખાઈ લીધો હતો. કોઈએ 108માં ફોન કરતા એમ્બ્યુલન્સના ઇએમટી ડોક્ટરે સ્થળ પર જ પ્રાર્થનાને મૃત જાહેર કરી હતી.


સ્યુસાઈડ નોટમાં થયો ઘટસ્ફોટ


પ્રાર્થના પારેખના આત્મહત્યાના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને રૂમ ચેક કરતા પ્રાર્થનાએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તે એડમિશન ન મળતા હતાશ હોવાનું ખુલ્યું હતું. પ્રાર્થના બે બહેન એક ભાઈમાં મોટી હતી. પિતા રૈયા રોડ પર ફરસાણની કેબિન ચલાવે છે. આ બનાવના પગલે પરિવારમાં શોક છવાયો છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!